વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરતા પલસાણા તાલુકાના એરથાણ ગામના ગ્રામવાસીઓ

સુરતઃમંગળવાર: કેન્દ્ર અને રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓના લાભો ગામે ગામ સુધી પહોંચે તેવા આશયથી સુરતના પલસાણા તાલુકાના એરથાણ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચ્યો હતો. જ્યાં ગ્રામજનો દ્વારા સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરાઇ વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી.
જેમાં પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું અને પદાધિકારીઓ તેમજ વિવિધ શાખાઓ દ્વારા કેન્દ્ર અને રાજય સરકારની પોષણ અભિયાન, પી.એમ.જે.વાય, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, વિશ્વકર્મા યોજના, આયુષ્યમાન કાર્ડ, જલ જીવન મિશન યોજના, અટલ પેન્શન યોજના, પ્રાકૃતિક ખેતી, પશુપાલન માટેની યોજનાઓ જેવી વિવિધ વિભાગોની યોજનાઓ વિષે વિસ્તૃત માહિતી પુરી પાડવામાં હતી.
આ અવસરે મહાનુભવોના હસ્તે સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓના ૧૩ લાભાર્થીઓને કીટ વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ પોષણ અભિયાન, પી.એમ.જે.વાય, સખી મંડળ, ખેતીવાડી વિભાગ, આરોગ્ય વિભાગના ,Icds વિભાગના લાભાર્થીઓએ પોતાના અનુભવો જણાવ્યા હતા.
આ પ્રસંગે ગામના તાલુકા પંચાયતના પ્રમુખ યોગેશભાઈ પટેલ, સંગઠન પ્રમુખ અશોકભાઈ રાઠોડ, જિલ્લા પંચાયત સભ્ય કાજલબેન, પલસાણા તાલુકા પંચાયત સભ્ય ઉન્નતીબેન, તાલુકા પંચાયત સભ્ય રાહુલભાઇ આહીર, આયુષ્માન મેડિકલ ઓફિસર પ્રીતિબેન તેમજ ગામના સરપંચ, ઉપસરપંચ, આંગણવાડી કાર્યકર અને તેડાગર, આરોગ્ય સ્ટાફ તેમજ અન્ય વિભાગના અધિકારી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.