ગુજરાત

સુરત ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી રાત્રી રોકાણ કરશેઃમાર્ગ અને મકાન વિભાગ દ્વારા તડામાર તૈયારીઓ

સુરત ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી રાત્રી રોકાણ કરશેઃમાર્ગ અને મકાન વિભાગ દ્વારા તડામાર તૈયારીઓ

દેશના લોકપ્રિય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે તા.૭મી માર્ચના રોજ સુરત ખાતે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત ગંગાસ્વરૂપા, વૃદ્ધ, દિવ્યાંગ સહાય યોજના તથા ગરીબ લાભાર્થી પરિવારોના અંદાજે બે લાખ લાભાર્થીઓને વિનામૂલ્યે અનાજના લાભોના વિતરણની શરૂઆત કરવામાં આવશે. અનેરા આનંદ ઉલ્લાસ સાથે સુરતીઓ વડાપ્રધાનને આવકારવા માટે સજ્જ બન્યા છે.
વડાપ્રધાનશ્રી સુરત સરકીટ હાઉસ ખાતે રાત્રી રોકાણ કરશે. જેથી માર્ગ અને મકાન વિભાગ દ્વારા તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. જ્યાં તેઓ રોકાણ કરનાર છે એ રૂમ પર જરૂરી તમામ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે. સરકીટ હાઉસની અંદર તથા બહારના ભાગે રંગરોગાન તથા રિનોવેશન કરવામાં આવી રહ્યું છે. ફૂલછોડના કુંડાઓથી પરિસરને વધુ આકર્ષક અને સુસજ્જ બનાવવામાં આવ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button