ઉમરપાડા તાલુકાના ઉમરઝર અને ઉભારીયા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું ઉમળકાભેર સ્વાગત કરતા ગ્રામજનો

સુરતમંગળવાર: કેન્દ્ર અને રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓના લાભો છેવાડાના માનવી સુધી પહોંચે તેવા આશયથી સુરતના ઉમરપાડા તાલુકાના ઉમરઝર અને ઉભારીયા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચ્યો હતો. જ્યાં ગ્રામજનોએ સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરી વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી.
આ પ્રસંગે પદાધિકારીઓ તેમજ વિવિધ શાખાઓ દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારની પોષણ અભિયાન, પી.એમ કિસાન સન્માન નિધિ, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, વિશ્વકર્મા યોજના, આયુષ્યમાન કાર્ડ, જલ જીવન મિશન યોજના, અટલ પેન્શન યોજના, પ્રાકૃતિક ખેતી, પશુપાલન માટેની યોજનાઓ જેવી વિવિધ વિભાગોની યોજનાઓ વિષે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં હતી. વિવિધ યોજનાકીય સ્ટોલ્સ ઉભા કરી લાભાર્થીઓને લાભાન્વિત કરવામાં આવ્યા હતા.
મહાનુભાવોના હસ્તે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ પોષણ અભિયાન, પી.એમ.જે.વાય, સખી મંડળ, ખેતીવાડી વિભાગ, આરોગ્ય વિભાગના લાભાર્થીઓએ મેરી કહાની, મેરી જુબાની અંતર્ગત પોતાના અનુભવો જણાવ્યા હતા.
આ પ્રસંગે ઉમરઝર ગામે જિ.પંચાયતના મહિલા અને બાળ વિકાસ સમિતિના પ્રમુખશ્રી દરિયાબેન વસાવા, અગ્રણી સર્વ શ્રી શ્યામસિંગભાઈ વસાવા, વિપુલ વસાવા, શાંતિલાલ વસાવા, અમિષભાઈ વસાવા, પ્રવિણભાઈ પરમાર, વાલજીભાઈ તેમજ ઉભારીયા ગામના સરપંચ આશાબેન, ઉમરઝર સરપંચશ્રી પ્રિતેશભાઈ, મણીલાલભાઈ, સરપંચશ્રી ચિતલદા રાજેન્દ્ર ભાઈ, સરપંચશ્રી ઉમરખાડી ગુલાબભાઈ, ઉમરપાડા વિસ્તરક ચાવડાભાઈ, મુખ્ય સેવિકા પિનલબેન અને તેડાગર, આરોગ્ય સ્ટાફ તેમજ અન્ય વિભાગના અધિકારી, કર્મચારીગણ, શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ, ગ્રામજનો, લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.