ગુજરાત
નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ ગાંધી જ્યંતિ નિમિત્તે સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરાવી

નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ ગાંધી જ્યંતિ નિમિત્તે સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરાવી
નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ વલસાડ જિલ્લાની વાપી જીઆઈડીસી ખાતે પૂજ્ય મહાત્મા ગાંધીજીના જન્મ દિવસ નિમિત્તે ગાંધી બાપુની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી પુષ્પાંજલિ કરી શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યારબાદ મંત્રીશ્રીએ જીઆઈડીસી બાગ ખાતે સફાઈ કરી જિલ્લામાં સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે વીઆઈએ પ્રમુખ સતિષભાઈ પટેલ અને સંગઠનના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ, વાપી મહાનગરપાલિકાના અધિકારી-કર્મચારીઓ હાજર રહ્યા હતા.