કૃષિ

માંગરોળના ધારાસભ્ય ગણપતસિંહ વસાવાએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કર્યું

સુરતઃ સોમવારઃ કેન્દ્ર અને રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓના લાભો ગામે ગામ સુધી પહોંચે તેવા આશયથી સુરતના ઉમરપાડા તાલુકાના ચિત લદા ગામે પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય ગણપત ભાઈ વસાવાએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ધારાસભ્યએ વિકસિત ભારત સંકલ્પયાત્રાનો ધ્યેય સ્પષ્ટ કરીને સરકારની યોજનાઓનો લાભ લેવાનો અનુરોધ કર્યો હતો.
સરકારના અધિકારી-કમૅચારીઓએ કેન્દ્ર અને રાજય સરકારની પોષણ અભિયાન, પી.એમ કિસાન વય યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, આયુષ્યમાન કાર્ડ,જલ જીવન મિશન યોજના, અટલ પેન્શન યોજના, પ્રાકૃતિક ખેતી, પશુપાલન માટેની યોજનાઓ જેવી વિવિધ વિભાગોની યોજનાઓ વિષે વિસ્તૃત માહિતી પુરી પાડવામાં હતી.

આ અવસરે મહાનુભવોના હસ્તે સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ પોષણ અભિયાન, પી.એમ.જે.વાય, સખી મંડળ, ખેતીવાડી વિભાગ, આરોગ્ય વિભાગના લાભાર્થીઓએ પોતાના અનુભવો જણાવ્યા હતા.
આ પ્રસંગે ચિતલદા ગામે દરિયાબેન,રામસિંગભાઈ, તાલુકા વિકાસ અધિકારીશ્રી પઠાણ, મામલતદાર શ્રી બેસાણીયા, PHC મેડિકલ ઓફિસર સાહેબ,ICDS સુપરવાઈઝર સંગીતાબેન ,ગામના તલાટી-કમ-મંત્રીશ્રી પ્રીતિબેન, અને ગામના સરપંચ શ્રી રાજેશભાઈ, શાળાના આચાર્યશ્રી, આશિષ ભાઈ આંગણવાડી કાયૅકર, આરોગ્ય સ્ટાફ ગામ નાં વડીલ શ્રીઓ અને અન્ય વિભાગના અધિકારી કર્મચારી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button