આરોગ્ય

 7 એપ્રિલ, “વિશ્વ સ્વાસ્થ્ય દિવસ”

7 એપ્રિલ, “વિશ્વ સ્વાસ્થ્ય દિવસ”

પહેલું સુખ તે જાતે નર્યા

યોગ ભગાડે રોગ

તંદુરસ્ત રહો, સલામત રહો.

 

 

 

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(WHO) દ્વારા 7 એપ્રિલનાં દિવસને “વિશ્વ સ્વાસ્થ્ય દિવસ” તરીકે જાહેર કરવામાં આવ્યો છે. આ દિવસના માધ્યમ દ્વારા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનો ધ્યેય લોકોને ખાસ કરીને એચઆઈવી, ક્ષય રોગ, મેલેરિયા,કોરોના જેવી મહાબીમારીઓ માટે જાગૃત કરવાનો છે.

 

વર્તમાન સમયમાં સ્વાસ્થ્ય જાળવવું એ અતિ મહત્વનું કાર્ય થઈ ગયું છે. ભારત દેશ સ્વાસ્થ્ય ક્ષેત્રે જેટલી ઝડપથી આધુનિકતા તરફ વધ્યો હતો તેનાથી બમણી ઝડપે શરીર સ્વાસ્થ્ય જાળવવા માટે આપણે પ્રાચીન ભારતમાં સ્વાસ્થ્ય જાળવણી માટે ઇસ્તેમાલ થતા વિવિધ આયુર્વેદિક ઉપચારો અપનાવવા માંડ્યા છીએ. લોકો હવે માનસિક સ્વાસ્થ્ય તરફ પણ જાગૃત થયા છે. શરીર અને મન એકબીજા સાથે સંકળાયેલા છે. જો શરીર સ્વસ્થ હશે તો મન સ્વસ્થ રહેશે. માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે પ્રાકૃતિક જીવન શૈલીનો ઉપયોગ થઈ રહ્યો છે ત્યારે પ્રાચીન કાળથી ચાલી આવતી યોગ,પ્રાણાયામ કરવાની આપણી સંસ્કૃતિને જાળવતા રહીને આજે સમગ્ર દેશ કઈ રીતે સ્વસ્થ રહેવા માટે નવા નવા ઉપાયો પાછળ દોરાય રહ્યો છે ત્યારે એક વાત નોંધવા જેવી છે કે લોકો પાસે આ દિશામાં યોગ્ય માર્ગદર્શન કરી શકે એવા કોઈ શ્રેષ્ઠ માર્ગદર્શક ઉપલબ્ધ નથી અથવા છે તો લોકો તેમની પાસે જતા નથી. મિત્રો, આડોશ-પાડોશ કે સગા સંબંધીઓ પાસેથી જે સલાહો મળે તે સમજ્યા વગર બેફામ ફોલો કરવામાં આવે છે જેનાથી એક યા બીજી તકલીફો સર્જાય છે માટે સ્વાસ્થ્યની બાબતમાં કોઈ પણ નિર્ણય પર વિશેષ માર્ગદશન મેળવ્યા બાદ જ આગળ વધવું જોઈએ. આયુર્વેદ,યોગ,નેચરોપેથી,યુનાની,સિદ્ધા,હોમિયોપેથી, પંચગવ્ય થેરાપી જેવી વિવિધ ચિકિત્સા પદ્ધતિઓને જાળવવા તેમજ એ દ્વારા સ્વાસ્થ્ય પ્રત્યે લોક જાગૃતિ લાવવાનાં હેતુથી સરકાર પણ આયુષ મંત્રાલય દ્વારા સ્વાસ્થ્ય જાળવણીની જુદી જુદી પદ્ધતિઓને લોકો સુધી પહોચાડવા અગ્રેસર છે. સ્વાસ્થ્ય જાળવવા માટે કેટલીક મહત્વની બાબતોનું ધ્યાન રાખવું આવશ્યક છે. જેમાં પૌષ્ટિક આહાર, નિયમિત કસરત, પુરતી ઊંઘ, નિયમિત તબીબી તપાસ, માનસિક સ્વાસ્થ્યનું રક્ષણ, સમાજિક જોડાણ વગેરે જરૂરી છે. ફળો, શાકભાજી, કઠોળ જેવો શાકાહાર અપનાવવો જોઈએ. દરરોજ ઓછામાં ઓછી 30 મિનીટ કસરત કરવી જોઈએ. દરરોજ 7-8 કલાકની પૂરતી ઊંઘ લેવી જોઈએ. ધૂમ્રપાન, તમાકુ વગેરેનો ઉપયોગ ટાળવો જોઈએ અને નિયમિત તબીબી તપાસ કરાવવી જોઈએ. નકારાત્મક વિચારો અને લાગણીઓનો સામનો કરતા શીખવું જોઈએ તેમજ જરૂર પડે ત્યારે સાયકોલોજીસ્ટની મદદ લેવામાં અચકાવું ન જોઈએ. માનસિક સ્વાસ્થ્યની જાળવણી માટે સમાજિક જોડાણ અતિ મહત્વનું છે. મિત્રો, પરિવાર અને સમુદાય સાથે સમય વીતાવવાથી અને સામાજિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવાથી તણાવમાંથી બહાર આવી શકાય છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button