કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુતની સૂચના અનુસાર સિદ્ધપુર તાલુકાના મેત્રાણા ગામના તળાવ બ્યુટિફિકેશન માટે રૂપિયા ૫૦ લાખ મંજૂર

કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુતની સૂચના અનુસાર સિદ્ધપુર તાલુકાના મેત્રાણા ગામના તળાવ બ્યુટિફિકેશન માટે રૂપિયા ૫૦ લાખ મંજૂર
પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના મેત્રાણા ગામમાં સર્વે નંબર ૧૬૦ વાળા તળાવ સુધારણાના કામ રૂપિયા ૫૦ લાખ મંજૂર કરવામાં આવેલ છે સિધ્ધપુરના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુત વિસ્તારના કામો માટે ખૂબ જ સક્રિય રહેલ છે તેઓએ તાલુકાના મેત્રાણા ગામે તળાવ સુધારવાના કામ માટે રૂપિયા ૫૦ લાખ મંજૂર કરાવેલ છે આસ્થાના કેન્દ્ર મેત્રાણા ગામ ખાતે તળાવનું નવીનીકરણ અને બ્યુટિફિકેશન માટે રૂપિયા ૫૦ લાખ જેટલી રકમની ફાળવણી કરવામાં આવેલ છે માટીકામ, રેલિંગ, દિવાલ, તેમજ કોન્ક્રીટકામ વગેરે કામગીરી હાથ ધરવામાં આવશે આમ થવાથી મેત્રાણા ગામ અને આજુબાજુના ગામના લોકો માટે હરવા ફરવાનું સ્થળ બની રહેશે તેમ જ પાણીના જળસ્તર ઊંચા આવશે જેથી ખેડૂતોને પણ ફાયદો થશે.