કૃષિ

વન અને પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં ઓલપાડ તાલુકાના કમરોલી ગામે આવી પહોંચેલી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નું ભવ્ય સ્વાગત

સુરતઃશુક્રવાર: કેન્દ્ર સરકાર અને રાજય સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના ગ્રામજનો સુધી પહોંચે તેવા આશયથી સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કમરોલી ગામ ખાતે વન અને પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ યોજાઇ હતી. સંકલ્પ યાત્રા રથનું ભવ્ય સ્વાગત કરી ગ્રામજનોએ વિકસિત ભારતની પ્રતિજ્ઞા લીધી હતી.સરકારની યોજનાના પ્રદર્શન સ્ટોલ દ્વારા નાગરિકોને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની જણકારી તેમજ નવા લાભાર્થીઓની નોંધણી કરવામાં આવી હતી.

રાજ્યમંત્રીશ્રીના હસ્તે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરાયું હતું. લાભાર્થીઓ સાથે રાજ્યમંત્રીશ્રીએ સંવાદ સાધી યોજનાઓનો લાભ લેવા પ્રેરિત કર્યા હતા.

આ પ્રસંગે વન અને પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, આ યાત્રાના માધ્યમથી સરકારની પ્રજાલક્ષી યોજનાઓના લાભો જનજન સુધી પહોંચાડવા સરકાર કટિબદ્ધ છે. યાત્રાના રથ થકી જરૂરિયાતમંદ લોકોને વિવિધ યોજનાકીય લાભોથી લાભાન્વિત કરાઈ રહ્યા છે. લોકોના જીવન બદલવાનું અને જીવન ધોરણ સુધારવાનું કાર્ય એ વિકસિત ભારત યાત્રાનું લક્ષ્ય છે. ઓલપાડ તાલુકામાં ૧૨ હજારથી વધુ ગંગાસ્વરૂપ મહિલાઓને માસિક રૂ.૧૨૫૦ ની સહાય અપાવવાનું સરાહનીય કાર્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે.

વધુમાં તેમણે જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગરીબી રેખામાં જીવન જીવતા લોકોની ચિંતા કરી છે.૧૮૦થી વધુ યોજનાઓ નાગરિકો માટે અમલી બનાવી છેવાડાના ગામો સુધી યોજનાઓ પહોચે એવા પ્રયત્ન હાથ ધરવામાં આવી રહ્યાં છે.ઓલપાડ વિધાનસભામાં ૫ લાખથી વધુ લોકોએ સરકારની વિવિધ યોજનનો લાભ લીધો છે.જેમાં ઓલપાડ તાલુકાના કમરોલી ગામમાં ૧,૬૯૫ લોકોએ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનનો લાભ લીધો છે. ઉપરાંત,કમરોલી ગામમાં ૮૦૫ આયુષમાન ભારતકાર્ડ, ૮૧ ગંગાસ્વરૂપા,૩૨૯ કિસાનોને કિસાન સન્માન નિધિ,૧૯ ઉજ્જવલ્લા યોજનાનો લાભ અપાયો છે, જે સરાહનીય છે.

આ અવસરે તાલુકા પંચાયત પ્રમુખ નિતાબેન પટેલએ વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે, ભારતને વર્ષ ૨૦૪૭ સુધીમાં આત્મ નિર્ભર અને વિકસિત રાષ્ટ્ર બનવવાના સપનાને સાકાર કરવા માટે સરકાર કટિબદ્ધ છે.

છેવાડાના ગરીબ,મધ્યમ વર્ગના લોકોના હિત માટે સરકાર હરહંમેશા પ્રયત્નશીલ રહી છે.સરકારની યોજનાઓ આપણા માટે જ છે જેનો દરેક લોકોએ લાભ લેવો જોઇએ,તમામ લોકોને આ સંકલ્પ રથ વિશે માહિતી આપી સરકારની વિવિધ યોજનાનો લાભ અન્ય લોકોને અપાવવો જોઇએ એમ કહી વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં જોડાઇને લાભ લેવા માટે અપીલ કરી હતી

આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત ઉપપ્રમુખ કિરણભાઇ પટેલ, તાલુકા વિકાસ અધિકારીશ્રી હાર્દિકભાઇ ગઢવી,તાલુકા પંચાયત કારોબારી ચેરમેનશ્રી જયેશભાઇ પટેલ,સામજિક ન્યાય સમિતિ ચેરમેનશ્રી હેમુભાઇ પાઠક,જિલ્લા પંચાયત સભ્યશ્રી કરિશ્માબેન રાઠોડ,તાલુકા સંગઠન પ્રમુખ બ્રિજેશભાઈ પટેલ, તાલુકા સંગઠન મહામંત્રીશ્રી કુલદીપભાઈ,જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ,તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ,સરપંચશ્રી, શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button