પ્રાદેશિક સમાચાર

કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ

સુરતઃમંગળવાર: કેન્દ્ર અને રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓના લાભો ગામે ગામ સુધી પહોંચે તેવા આશયથી સુરતના પલસાણા તાલુકાના દસ્તાન ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચ્યો હતો. જ્યાં ગ્રામજનો દ્વારા સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરી વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી.

આ પ્રસંગે અધિકારીઓ-પદાધિકારીઓ તેમજ વિવિધ શાખાઓના અધિકારીઓ દ્વારા કેન્દ્ર અને રાજય સરકારની પોષણ અભિયાન, પી.એમ કિસાન વય યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, વિશ્વકર્મા યોજના, આયુષ્યમાન કાર્ડ, જલ જીવન મિશન યોજના, અટલ પેન્શન યોજના, પ્રાકૃતિક ખેતી, પશુપાલન માટેની યોજનાઓ જેવી વિવિધ વિભાગોની યોજનાઓ વિષે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

આ અવસરે આધારકાર્ડ, આયુષ્માન કાર્ડ, આરોગ્ય કેમ્પ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ લાભ લીધો હતો. મહાનુભવોના હસ્તે સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓના ૫ લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ પોષણ અભિયાન, પી.એમ.જે.વાય, સખી મંડળ, ખેતીવાડી વિભાગ, આરોગ્ય વિભાગના લાભાર્થીઓએ પોતાના અનુભવો જણાવ્યા હતા.
આ અવસરે તા.પંચાયત પ્રમુખ યોગેશભાઈ પટેલ, તા.પંચાયતના ઉપપ્રમુખશ્રી ભાવનાબેન, તા.પંચાયતના કારોબારી અધ્યક્ષ દિવ્યાબેન, તાલુકા હેલ્થ ઓફિસર ડો. મધુકર, વિસ્તરણ અધિકારી ખેતી ચંદ્રકાંત સુરતી તેમજ ગામના સરપંચશ્રી મંજુબેન, મુખ્ય સેવિકા કડોદરા-૧, કણાવ, આંગણવાડી કાર્યકર અને તેડાગર, આરોગ્ય સ્ટાફ તેમજ અન્ય વિભાગના અધિકારી, કર્મચારી ગણ, ગ્રામજનો, લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button