શિનોરના સાધલી મુકામે સ્વામિનારાયણ મંદિરના પાટોત્સવ પ્રસંગે અન્નકૂટ દર્શન

શિનોરના સાધલી મુકામે સ્વામિનારાયણ મંદિરના પાટોત્સવ પ્રસંગે અન્નકૂટ દર્શન
શિનોર તાલુકાના સાધલી મુકામે વડતાલ તાબાના શ્રી સ્વામિનારાયણ મંદિરનો પાંચમો પાટોત્સવ હરિભક્તોની હાજરીમાં ભક્તિ ભાવપૂર્વક અન્નકૂટ સાથે યોજાયો હતો. અને રાત્રી સત્સંગ સભામાં મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટી પડ્યા હતા.
શિનોર તાલુકાના સાધલી મુકામે તારીખ 17 ડિસેમ્બર 2024 ને મંગળવારના રોજ વડતાલ તાબાના શ્રી સ્વામિનારાયણ મંદિરના પાંચમા પાટોત્સવ પ્રસંગે ભવ્ય અન્નકૂટ યોજવામાં આવ્યો હતો અને આ અન્નકૂટની મહા આરતી બુથેજના નારાયણ ચરણ સ્વામી દ્વારા ભવ્ય રીતે હરિભક્તોની હાજરીમાં કરવામાં આવી હતી. તમામ હરિભક્તોએ અન્નકૂટના પ્રસાદીનો લાભ લીધો હતો અને રાત્રિના સમય સત્સંગ સભા યોજવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં સત્સંગી પડ્યા હતા આમ સાધલી મુકામે હરિભક્તો દ્વારા ભવ્ય રીતે પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.