વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરતા માંગરોળ તાલુકાના આસરમાં ગામના ગ્રામવાસીઓ:

સુરતઃ સોમવાર: કેન્દ્ર અને રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓના લાભો ગામે ગામ સુધી પહોંચે તેવા આશયથી સુરતના માંગરોળ તાલુકાના આસરમાં ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચ્યો હતો. જ્યાં ગ્રામજનો દ્વારા સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરાઇ વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી.
સંકલ્પયાત્રામાં પદાધિકારીઓ અને વિવિધ શાખાઓ દ્વારા કેન્દ્ર અને રાજય સરકારની પોષણ અભિયાન, પ્રધનામંત્રી આવાસ યોજના, ગંગા સહાય યોજના, ઉજ્જવાલા યોજના, પી.એમ કિસાન સન્માન નિધિ અને વય વંદના યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, વિશ્વકર્મા યોજના, આયુષ્યમાન કાર્ડ, જલ જીવન મિશન યોજના, અટલ પેન્શન યોજના, પ્રાકૃતિક ખેતી, પશુપાલન માટેની યોજનાઓ જેવી વિવિધ વિભાગોની યોજનાઓ વિષે વિસ્તૃત માહિતી પુરી પાડવામાં હતી.
આ અવસરે સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજના મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના, મિશન મંગલમ યોજના,પોષણ અભિયાન, પી.એમ.જે.વાય, સખી મંડળ, ગંગા સહાય યોજના, ખેતીવાડી વિભાગ, આરોગ્ય વિભાગના લાભાર્થીઓએ પોતાના અનુભવો જણાવ્યા હતા.
આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ મનહરભાઈ વસાવા, તાલુકા પંચાયતના સભ્યસર્વશ્રી ભરતભાઈ પટેલ, વિક્રમભાઈ પરમાર , સુરત માઈનોરીટીના પ્રમુખ હુસેનભાઇ આરફ, સિંચાઈ વિભાગના અધિકારીશ્રી એ. આર. પટેલ , મેડીકલ ઓફિસરશ્રી ડોક્ટર દિવ્યાબેન, સરપંચ શ્રીમતી સરોજબેન વસાવા,તલાટી શ્રી મુળુભાઇ રાઠોડ, પ્રાથમિક શાળાના શિક્ષક મોહન સિંહ,આંગણવાડી કાયૅકર,આરોગ્ય સ્ટાફ તેમજ અન્ય વિભાગના અધિકારી, કર્મચારી ગણ, ગ્રામજનો, લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.