રાજનીતિ

ક્ષત્રિયોનું શક્તિપ્રદર્શન : ‘જય ભવાની ભાજપ જવાની

રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરષોત્તમ રુપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને સમગ્ર ક્ષત્રિય સમાજમાં ભારે આક્રોશ ફેલાયો છે. જે અંતર્ગત ગુજરાત ક્ષત્રિય સંકલન સમિતિ દ્વારા દરેક જિલ્લામાં ધર્મ રથની શરૂઆત કરાઈ હતી. ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર ઠેર ધર્મરથ કાઢી ભાજપ વિરુદ્ધ પ્રચાર કરવામા આવ્યો હતો. ધર્મરથ યાત્રા રાજ્યનાં વિવિધ શહેરો અને ગામડાઓમાં ફરી અને હવે અમદાવાદ શહેરમાં પહોંચી છે.

સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સંકલન સમિતિનું જે એપી સેન્ટર કહેવાય તેવા અમદાવાદ શહેરમાં રાજપૂત નારી અસ્મિતા માટે નાના નાના આંદોલન થયા છે ત્યારે આચારસંહિતાની શરૂઆત પહેલા સમગ્ર ગુજરાતનું છેલ્લું ધર્મરથનું આયોજન અમદાવાદ નરોડાથી વસ્ત્રાલમાં રાખવામાં આવ્યું હતું.આજે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ધર્મરથ યાત્રા કાઢવામાં આવી હતી. સવારે નરોડા જય માતાજી ચોક શરૂ થયેલી આ યાત્રા નરોડા ગામ ખાતે પહોંચી ત્યારે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ ધર્મ રથ યાત્રા કૃષ્ણનગર પહોંચતા બહેનોએ તલવાર રાસથી કર્યું સ્વાગત હતુ. આ યાત્રા નરોડા ખોડિયાર ચોક(જય માતાજી ચોક)થી શરૂ થઈ નરોડા, કૃષ્ણનગર, બાપુનગર, ખોખરા સહિતના વિસ્તારોમાં ફરી હતી અને સાંજે વસ્ત્રાલ ખાતે પૂર્ણ થઈ હતી. આ ધર્મ રથ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જાેડાયા હતા અને ‘જય ભવાનીપભાજપ જવાની’ના નારા લગાવ્યા હતા. આ ધર્મરથ યાત્રા ૭ કલાક સુધી યોજાઈ હતી

મહત્વું છે કે, આજે યોજાયેલી આ ક્ષત્રિય ધર્મરથ યાત્રાને ખૂબ મોટો પ્રતિસાદ મળી રહ્યો છે. એક કિલોમીટર લાંબી આ ધર્મરથ યાત્રામાં ક્ષત્રિય સમાજનું શક્તિપ્રદર્શન જાેવા મળ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button