પ્રાદેશિક સમાચાર

ચૂંટણી આચારસંહિતા કાલે સમાપ્ત

ચૂંટણી આચારસંહિતા કાલે સમાપ્ત

લોકસભા 2024 ની ચૂંટણીની જાહેરાત થાય ત્યારથી આચારસંહિતા લાગુ કરવામાં આવી હતી જે આચાર સંહિતા 6 જૂન ના રોજ પૂરી થાય છે એટલે સુરત મહાનગરપાલિકાના મેયર ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ ચેરમેન શાસક પક્ષના નેતા તથા વિરોધ પક્ષના નેતાને મોબાઈલ ફોન તથા ગાડી ની તેમજ વિવિધ સમિતિઓના ચેરમેનને માત્ર ગાડી સુવિધા સુપ્રત કરવામાં આવશે એવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભા 2024 ચૂંટણીની જાહેરાત થયા બાદ ઉપરોક્ત તમામ પદાધિકારીઓ અને વિવિધ સમિતિઓના ચેરમેન ની ગાડી તથા મોબાઇલ ફોન ની સુવિધા કોર્પોરેશન દ્વારા લઈ લઈ લેવામાં આવી હતી. આ ઉપરાંત મેયર ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન તેમજ શાસક પક્ષના નેતાની ઓફિસમાં રાજકીય ફોટાઓ ઉપર કપડું મૂકી ઢાંકી દેવામાં આવ્યું હતું. આ સાથે સાથે સ્ટેન્ડિંગ સમિતિ ની મીટીંગ અને સામાન્ય સભા એક મનપાના નિયમ મુજબ ફોર્માલિટી માટે કરવામાં આવતી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button