ધર્મ દર્શન

જલારામ બાપાની 225 મી જન્મજયંતીની રંગેચંગે ઉજવણી

જલારામ બાપાની 225 મી જન્મજયંતીની રંગેચંગે ઉજવણી

સવારે નીકળેલી શોભાયાત્રામાં જલારામબાપા અને વીરબાઈમાતાના વેશભૂષમાં સજ્જ થયેલા નાના નાના ભૂલકાઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા

આજે જલારામબાપાની 225 મી જન્મજયંતિની ઉજવણીના ઉપક્રમે ધરમપુરના હનુમાન ફળીયા અને મોટા બજાર ખાતે સ્થિત આવેલા મંદિરોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોના સથવારે રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી.

આજે સવારના પહોરમા જ હનુમાન ફળિયાના જલારામબાપા મંદિરેથી ભજનોની સુરવાલીએ સમગ્ર વાતાવરણને “જલામય” કરી મૂક્યું હતું. સવારે 10.00 કલાકે જલારામબાપનો ફોટો શણગારી શોભાયાત્રા સમગ્ર નગરમાં ફેરવામાં આવી હતી જેમાં લોહાણા સમાજના આગેવાનો અને નગરજનો જોડાયા હતા મહિલા ભક્તોએ સમગ્ર રસ્તે ગરબા રમી અનવ જલારામબાપાની ધુનો લલકારી આખા નગરને જલારામમય કરી મૂક્યું હતું શોભાયાત્રામાં નાના ભૂલકાઓ જલારામબાપા અને વીરબાઈમાતાના વેશભૂષમાં સજ્જ ગાડીમાં ઉભા રખાયા હતા જે શોભાયાત્રાનું આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું સાંજે સત્યનારાયણ ની કથા, અને જલારામ બાવની દ્વારા જલારામબાપાના જીવનકવન અને એમના પારચાઓ જાણી ભક્તો જલામય બન્યા હતા, બપોરે અને સાંજે પ્રસાદી મેળવી ભક્તો તૃપ્ત બન્યા હતા.

 

 

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button