વ્યાપાર

આઇટીઆઇ એસેટ મેનેજમેન્ટ કંપનીએ લાર્જ એન્ડ મીડ કેપ ફંડ લોંચ કર્યું

સુરત : આઇટીઆઇ એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડ (આઇટીઆઇ એએમસી)એ આઇટીઆઇ લાર્જ એન્ડ મીડ કેપ ફંડ લોંચ કર્યાંની જાહેરાત કરી છે. આ ઓપન-એન્ડેડ સ્કીમ ઇક્વિટી, ઇક્વિટી સંલગ્ન સિક્યુરિટીઝ એટલે કે મુખ્યત્વે ટોચની 250 કંપનીમાં રોકાણ કરશે. આ સ્કીમ સબસ્ક્રિપ્શન માટે 21 ઓગસ્ટ, 2024ના રોજ ખૂલીને 04 સપ્ટેમ્બર, 2024ના રોજ બંધ થશે.

આ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમનો ઉદ્દેશ્ય આ ડાયનેમિક સેક્ટરમાં સક્રિયપણે કાર્યરત કંપનીઓમા રોકાણ કરીને લાંબાગાળે મૂડી વૃદ્ધિ ઓફર કરવાનો છે, જેનાથી રોકાણકારો વૈવિધ્યકરણ અને મૂડીમાં વૃદ્ધિ પ્રાપ્ત થઇ શકશે.

આ ફંડને ઇક્વિટી ફંડ મેનેજર્સ વિશાલ જાજૂ અને રોહન કોરડે મેનેજ કરશે, જેઓ 13 વર્ષથી વધુ સમયથી આઇટીઆઇ મ્યુચ્યુઅલ ફંડ સાથે સંકળાયેલા છે તથા માર્કેટની ગાઢ સમજણ ધરાવે છે.

આ ફંડ રોકાણકારોને ભારતની વૃદ્ધિની સંભાવનાઓમાં રોકાણ કરવાની તક પ્રદાન કરશે, જે સ્ટ્રક્ચરલ, કલ્ચરલ અને ડિજિટલ ફેક્ટર્સ દ્વારા સંચાલિત છે. શહેરીકરણ અને આવકના સ્તરમાં વધારાને પરિણામે સંગઠિત માર્કેટ તરફ પરિવર્તનને કારણે વૃદ્ધિને વેગ મળી રહ્યો છે. નાના પરિવારો દ્વારા ખર્ચમાં વધારો થતાં સાંસ્કૃતિક પ્રભાવ જોવા મળી રહ્યો છે, જે ઉચ્ચ વપરાશમાં પરિણમ્યું છે.

આઇટીઆઇ એએમસીના ફંડ મેનેજર વિશાલ જાજૂએ જણાવ્યું હતું કે, વિશ્વમાં ભારત સૌથી ઝડપી વૃદ્ધિ સાધતી અર્થવ્યવસ્થા પૈકીની એક છે અને ટોચની કંપનીઓ દ્વારા ઓફર કરાતી કમાણીની તક માટે તે પ્રીમિયમ જાળવી રાખશે. ફંડ હાઉસ તરીકે અમે શેર પસંદ કરવામાં બોટમ અપ અભિગમને અનુસરીએ છીએ. આ સેક્ટરમાં ઘણી કંપનીઓ મજબૂત ઓર્ડર બુક ધરાવે છે તથા આગામી 2-3 વર્ષમાં સારી આવકની સંભાવના ધરાવે છે. તેનાથી આગામી સમયમાં આ કંપનીઓના રિટર્ન રેશિયોમાં નોંધપાત્ર સુધારાની સંભાવના છે.

આ સ્કીમ માટે લઘુત્તમ રૂ. 5,000ની અરજી કરવાની રહેશે તથા રોકાણકાર લઘુત્તમ રૂ. 500ની રકમ સાથે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન દ્વારા પણ રોકાણ કરી શકે છે. આ સ્કીમમાં કોઇપણ એન્ટ્રી લોડ ચાર્જીસ રહેશે નહીં તથા જો રોકાણકાર યુનિટની ફાળવણી તારીખથી ત્રણ મહિના પહેલાં યુનિટ રિડિમ કરે અથવા સ્વિચ આઉટ કરે તો 0.5 ટકા એક્ઝિટ લોડ રહેશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button