ધર્મ દર્શન
શ્રી સ્વામીનારાયણ મંદિરે ભક્તિભાવથી અન્નકૂટોત્સવનું આયોજન કરાયું

શ્રી સ્વામીનારાયણ મંદિરે ભક્તિભાવથી અન્નકૂટોત્સવનું આયોજન કરાયું
મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પ્રવર્તમાન આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની પ્રેરણાથી શ્રી સ્વામિનારાયણ મંદિર, સરથાણા – સુરત ખાતે નૂતન વર્ષ પ્રસંગે ભવ્ય અન્નકૂટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
શ્રી સ્વામિનારાયણ મંદિર, સુરતના મહંત શ્રી હરિકેશવ દાસજી સ્વામી, સંત શિરોમણિ શ્રી સનાતન સ્વરૂપદાસજી સ્વામી, સંત શિરોમણિ શ્રી સત્યદર્શનદાસજી સ્વામી તેમજ ભાવિક ભક્તો અન્નકૂટની સેવાનો હૈયાના ઉલ્લાસથી લહાવો લીધો હતો.