ગુજરાત

અડાજણ એસ. ટી બસ સ્ટેન્ડ ખાતે “ સડક સુરક્ષા – જીવન સુરક્ષા “ થીમ પર માર્ગ સલામતી જન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

અડાજણ એસ. ટી બસ સ્ટેન્ડ ખાતે “ સડક સુરક્ષા – જીવન સુરક્ષા “ થીમ પર માર્ગ સલામતી જન જાગૃતિ કાર્યક્રમ યોજાયો


નેશનલ રોડ સેફ્ટી મંથ અંતર્ગત સુરત આર. ટી. ઓ. કચેરી અને પોલીસ કમિશનર કચેરીના સંયુકત ઉપક્રમે અડાજણ એસ. ટી. બસ સ્ટેન્ડ ખાતે “ સડક સુરક્ષા – જીવન સુરક્ષા “વિષય પર ટ્રાફિક અવેરનેસ જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.
આ જન જાગૃતિ કાર્યક્રમમાં માર્ગ સલામતીના વિશેષજ્ઞ દ્વારા એસ.ટી ના કર્મચારીઓ તથા મુસાફરોને ટ્રાફીકના નિયમોનું પાલન તથા વાહન ચલાવતી વેળાએ લેવાની થતી કાળજી પર સૂચનો અને માર્ગદર્શન આપવામાં આવ્યા હતા. માર્ગ સલામતી જનજાગૃતિ કાર્યક્રમમાં ટ્રાફીક શાખાના પોલીસ ઈન્સ્પેકટર શ્રી એન.કે.ડામોર, આર.ટી.ઓ વિભાગના આસી. મોટર વ્હીકલ ઇન્સપેકટરશ્રીઓ ડી.બી.અસારી, શ્રી એન.પી.પટેલ, શ્રી આર.એ.વાડી, સુરત એસ.ટી વિભાગના કાર્યકારી પરિવહન અધિકારીશ્રી ઓ.જી.સુરતી, તેમજ આસી. ટ્રાફીક સુપ્રિટેન્ડેન્ટશ્રી મહેશ મોદી અને મોટી સંખ્યામાં મુસાફરો ઉપસ્થિત રહયાં હતા

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button