શિક્ષા

ગ્રીન ગ્રોથ”-ના થીમ ઉપર ગણપત યુનિવર્સિટીમાં યોજાઈ ગયો એક દિવસીય નેશનલ લેવલ સેમિનાર

“ગ્રીન ગ્રોથ”-ના થીમ ઉપર ગણપત યુનિવર્સિટીમાં યોજાઈ ગયો એક દિવસીય નેશનલ લેવલ સેમિનાર

 

કેન્દ્ર સરકારની નેશનલ પ્રોડક્ટીવિટી કાઉન્સિલ અને આઈ.પી.એલ. સંસ્થાનો સહયોગ સાંપડ્યો

કેન્દ્ર સરકારના “વિકસિત ભારત” અભિયાનના એક ભાગરૂપે અને નવા ભારતના નિર્માણમાં વિવિધ વૃત્તિ અને પ્રવૃત્તિઓ દ્વારા કશુંક મૂલ્યવાન પ્રદાન કરવાની કોશિશ રૂપે તાજેતરમાં ગણપત યુનિવર્સિટીના આંગણે એક અર્થપૂર્ણ અવસર યોજાવામાં આવ્યો હતો.

આ અવસરનું નામ હતું – “નેશનલ કૉન્ક્લેવ ઑન સસ્ટેનિબિલિટી એન્ડ ગ્રીન ગ્રોથ ઇન્કલુડિંગ રિસર્ચ કોલોકિવયમ”. આ મૂલ્યવાન વિચાર-વિમર્શ માટેના રાષ્ટ્રીય કક્ષાના આયોજનમાં કેન્દ્ર સરકારની સંસ્થા નેશનલ પ્રોડક્ટીવિટી કાઉન્સિલ તેમજ ઇન્ડિયન પોટાશ લિમિટેડ સંસ્થાના એક એકમ આઇપીએલ સેન્ટર ફૉર રૂરલ આઉટરીચનો પણ સહયોગ સાંપડયો હતો.

ભારતીય પરંપરા મુજબ શુભકાર્યનો પ્રારંભ દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો જેમાં ગણપત યુનિવર્સિટીના દાતા અધિષ્ઠાતા અને પ્રમુખ પદ્મશ્રી ગણપતભાઈ પટેલ (દાદા), યુનિ.ના પ્રો ચાન્સેલર અને ડાયરેક્ટર જનરલ પ્રો.ડૉ. શ્રી મહેન્દ્ર શર્મા, એન.પી.સી.ના શ્રી રાહુલ કિરકિરે, ગુજરાતના “ગીર” ફાઉન્ડેશનના શ્રી આર.પી. ગેલોત સહીત અનેક મહાનુભાવો મેહમાન તરીકે ઉપસ્થિત હતા.

સમગ્ર કૉન્ક્લેવના મુખ્ય કૉ-ઑર્ડિનેટર પ્રો.ડૉ.શ્રી મૌરવી વસાવડાએ એમના સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે અમારા ગણપત દાદાના નેતૃત્વમાં ગણપત યુનિવર્સિટીએ કરેલા ટકાઉ વિકાસના સંકલ્પનો અમે હંમેશા આદર કરીને જ આગળ વધીએ છીએ.

ટકાઉ વિકાસના માર્ગમાં આવતા પડકારોને કેવી રીતે અતિક્રમી શકાય તે અંગેના વિચાર-વિમર્શ માટે ઉદ્યોગો, સરકાર અને શિક્ષણ સંસ્થાઓ મળે એ આ અવસરનો ઉદ્દેશ છે એવું પણ એમણે જણાવ્યું હતું. “ગ્રીન ગ્રોથ” ની સિધ્ધિ હાંસલ કરવાનો આ એક શ્રેષ્ઠ માર્ગ છે.

નેશનલ પ્રોડક્ટિવ કાઉન્સિલના રીજિયોનલ ડિરેક્ટર શ્રી રાહુલ કિરકિરેએ આ કોન્ફરન્સના કેન્દ્રીય વિચાર-થીમને સરાહનીય રીતે યોગ્ય ઠેરવતા કહયું હતું કે ટકાઉ વિકાસ માટે જરૂરી એવી જીવવાની નીતિ-રીતિ અને વ્યવહારો માટે સમાજને તેની જવાબદારી અંગે જાગૃત, સંવેદનશીલ બનાવવો જરૂરી છે. એમણે એ બાબત અંગે પણ ભારપૂર્વક જણાવ્યું હતું કે “ડિમાન્ડ ડ્રીવન ઈકોનોમી” ને બદલે “સપ્લાય-ડ્રીવન ઈકોનોમી”નું સર્જન કરવું પણ ટકાઉ વિકાસ માટે આવશ્યક છે.

ગણપત યુનિવર્સિટીના પ્રો. ચાન્સેલર અને ડાયરેક્ટર જનરલ પ્રો.ડૉ. મહેન્દ્ર શર્માએ એમના વક્તવ્યમાં કહયું કે માનવ, પ્રાણીઓ, વૃક્ષો આ સૌ વચ્ચે એક આંતર-સંબંધ છે અને તેનું અનુસંધાન આપણા પ્રાચીન શાસ્ત્રો સાથે જોડાયેલું છે, આ શાસ્ત્રોના બોધ અને જ્ઞાન સાથે જોડાયેલું છે.

એમણે આ કૉન્ફરન્સના સૌ સહભાગીઓને અનુરોધ કર્યો કે આજે થનારા પર્યાવરણ વિષયક વિચાર-વિમર્શમાં સક્રિય રીતે ભાગ લેજો અને પર્યાવરણની જાણવણી થાય, એનું રક્ષણ થાય એવી જીવન-પધ્ધતિ અપનાવજો.

નિષ્ણાત મહાનુભાવો શ્રી આર.પી. ગેલોત. અને ડૉ.શ્રી જુહાર અલીએ પણ ઉપસ્થિતોને સંબોધન કર્યું અને કહયું કે ગ્રીન ગ્રોથ અને ગ્લોબલ ફૂડ ક્રાઈસિસ વિષે પણ ગંભીરતાથી વિચારવું જોઈએ, તો આઇક્રાના શ્રી રાજીવ રંજને પણ ભારતમાં વ્યાપક એવા કુપોષણ અને અતિપોષણના મુદ્દાને લક્ષ્યમાં રાખી તેના બેવડા પડકારોને ઝીલી લઈ યુવા વિદ્યાર્થીઓએ તેના ઉકેલની દીશામાં પોતાનું મહત્વપૂર્ણ પ્રદાન કરી ક્લાઈમેટ ચેંજ અને સસ્ટેનિબિલિટીને સિધ્ધ કરવા જોઈએ.

જેમણે પર્યાવરણની જાળવણીના ક્ષેત્રે મહત્વનું પ્રદાન કર્યું છે તેવી વ્યક્તિઓ અને સંસ્થાઓને નેશનલ પોટાશ કંપની દ્વારા સરાહના-પ્રમાણપત્રોના પ્રદાન બાદ ગણપત યુનિવર્સિટીના સોશ્યલ-વર્ક ડિપાર્ટમેન્ટના વડા પ્રો.શ્રી.સંજય વનાણીની આભાર-વિધિ સાથે ઉદ્દઘાટન સમારોહ સંપન્ન થતો હતો.

દેશભરની વિવિધ રાજ્યોની ખેતી-કૃષિ વિશ્વવિદ્યાલયોમાંથી ખાસ પધારેલા 128 જેટલાં અભ્યાસુ-સંશોધકોએ આ કૉન્ક્લેવમાં સહભાગી થઇ 9 (નવ) પીએચડી થીસિસ અને 14 જેટલાં પીજી ડિઝેરટેશન્સના આધારે પેપર-પ્રેઝન્ટેશન કર્યું હતું, જેના કેન્દ્રમાં ટકાઉ વિકાસ અને પર્યાવરણની જાળવણી જ હતા .

દિવસ દરમિયાન વિવિધ મેહમાન નિષ્ણાત મહાનુભાવો દ્વારા પર્યાવરણ-ગ્રીન ગ્રોથ સંબંધિત અનેક વિષયો ઉપર પણ ટેક્નિકલ સેશન્સ યોજાયા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button