જો સુખી બનવું હોય તો બીજાના વિચારો, વચન વર્તન સહન કરતાશીખોઃજિનસુંદરસુરીશ્વરજી

જો સુખી બનવું હોય તો બીજાના વિચારો, વચન વર્તન સહન કરતાશીખોઃજિનસુંદરસુરીશ્વરજી
સાધુ” એ પ્રમાણે કહેવામાં પણ આવ્યું જૈન સંઘ અંકલેશ્વરના છે તો ત્રણ વસ્તુ ન સહન કરો. વ્યક્તિના વિચારોને દફનાવી દો છો માટે સૌથી પહેલા વિચારોને સહન કરો.
(૧) બીજાના વિચારોને સહન કરો:
ચંપાપુરી આંગણે પ્રવચન પ્રભાવક આચાર્ય દેવ જિનસુંદરસૂરીશ્વરજી મહારાજાએ ધર્મ સભામાં ફરમાવ્યું કે આજે નવપદજી ઓળીનો પાંચમો દિવસ એટલે સાધુ પદ! આજના દિવસે 27 લોગસ્સનો કાઉસગ્ગ, 27 ખમાસમણા, 27 પ્રદક્ષિણા 27 સાથિયા અને ઓમ હ્રીં નમો લોએ સવ્વ સાહુણં ની 20 માળાની આરાધના કરવાની હોય છે. સાથે આજનું પદ બહુ જ મહત્વનું પદ છે કારણ કે દેવ અને ધર્મનો ઓળખ સાધુ (ગુરુ) કરાવે છે. મોક્ષમાં જવા માટે સાધુ તો બનવું જ પડે છે. નયસાર માંથી મહાવીર, સંગમ માંથી શાલીભદ્ર, ધર્મસાર્થવાહ માંથી આદિનાથ બનાવનાર સાધુ જ હતા. માટે આ પદની આરાધના અવશ્ય બધાએ જ કરવી જોઈએ અને શાસ્ત્રમાં “સહન કરે તે
તમારા વિચારોથી વિપરીત બીજાના વિચારોને તોડતા જરાય વાર લાગતી નથી. તને શું ખબર પડે? તું અક્કલ વિનાનો છે. વગેરે બોલીને સામેની
(૨) બીજાના વચનોને સહન કરો: કોઈ વ્યક્તિ બધાની વચ્ચે તમે ઉતારી પાડે, કડવા શબ્દોની વણઝાર ચલાવે તે સમયે સમભાવ રાખવો બહુ જ કપરું કાર્ય છે. “આંધળા ના દીકરા આંધળા હોય” આ પ્રમાણેના દ્રોપદી ના શબ્દો એ મહાભારત રચી દીધું. (૩) બીજાના વર્તનને સહન કરો: ઘરની દરેક વ્યક્તિનું વર્તન તમારી અપેક્ષાએ વિપરીત હશે. દીકરાને વહેલા સૂવાનું કહેશો તો તે રાત્રે બે વાગ્યે પહેલા સુશે નહીં, પત્નીને વહેલી રસોઈ બનાવવાનું કહેશો પણ તે રસોઈ મોડી જ બનાવશે. આવા તો ઢગલા બંધ પ્રસંગો ઘરમાં બનતા હશે અને સહન કરવું પણ મુશ્કેલ છે. બીજાના વિચારો વચનો અને વર્તનને સહન કરવામાં નડતું હોય તો એકમાત્ર અહમભાવ છે.અંકલેશ્વર ચંપાપુરી જૈન સંઘમાં મુનિ જિનસુંદરસુરીશ્વરજીએ ધર્મસભા સંબોધી