અટલ આશ્રમ ના ૫૦ વર્ષ તથા ૫૧૦૦ કિલો બંદીનો એક લાડુનો ભોગ હનુમાનજી મહારાજને તથા પરમ પૂજ્ય બાપુશ્રીના ૭૦ માં જન્મ જયંતિ નિમિતે ત્રિવેણી સંગમ કાર્યક્રમનો ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે

અટલ આશ્રમ ના ૫૦ વર્ષ તથા ૫૧૦૦ કિલો બંદીનો એક લાડુનો ભોગ હનુમાનજી મહારાજને તથા પરમ પૂજ્ય બાપુશ્રીના ૭૦ માં જન્મ જયંતિ નિમિતે ત્રિવેણી સંગમ કાર્યક્રમનો ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે
પારદેશ્વર મહાદેવ દાદાના તથા પરમ પૂજ્ય સદગુરુ શ્રી મહાદેવગીરી બાપુની અસીમ કૃપા અને આશીર્વાદથી વિશ્વ નોંધ લેશે. અટલ આશ્રમ ના ૫૦ વર્ષ તથા ૫૧૦૦ કિલો બુંદીનો એક લાડુનો ભોગ હનુમાનજી મહારાજને તથા પરમ પૂજ્ય બાપુશ્રી ના ૭૦ માં જન્મ જયંતિ નિમિતે ત્રિવેણી સંગમ કાર્યક્રમનો ભવ્ય મહોત્સવ રાખવામાં આવેલ છે. તા. ૨૨.૦૪.૨૦૨૪ ના રોજ સવારે ૯.૦૦ કલાકે સંતોના સ્વાગત તથા સવારે ૧૦,૦૦ કલાકે પરમ પૂજ્ય સદગુરુશ્રી બટુકગીરીજીબાપુની પારદ તુલા (વિશ્વમાં સૌપ્રથમ વાર) તેમજ સવારે ૧૧.૦૦ કલાકે સંતોના આશીર્વાદ અને બપોરે ૧૨.૦૦ કલાકે મહાપ્રસાદ, સાંજે ૪.૦૦ કલાકે મહિલા મંડળ ધૂન કીર્તન અને રાત્રે ૮.૦૦ કલાકે ભવ્ય સંતવાણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.
તા. ૨૩.૦૪.૨૦૨૪ ના રોજ સવારે ૯.૦૦ કલાકે શોભાયાત્રા, સવારે ૧૦,૦૦ કલાકે ૫૧૦૦ કિલો બુંદીનો એક લાડુનો હનુમાનજી મહારાજને ભોગ (સવામણીનો ભોગ) ધરાવાશે. સવારે ૧૦.૦૦ કલાકથી આગમન સુધી ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવેલ છે.આ કાર્યક્રમના આયોજનથી લીમકાબુક વર્લ્ડ રેકોર્ડ, એશિયાબુક વર્લ્ડ રેકોર્ડ, ઈન્ડિયાબુક વર્લ્ડ રેકોર્ડ, ગોલ્ડનબુક વર્લ્ડ રેકોર્ડ વિશ્વમાં સૌ પ્રથમવાર સ્થાન મેળવશે.
તથા આદિવાસી વિસ્તારમા અનાજ ની કીટ વિતરણ તથા ગરીબ બાળકોને નોટબુક વિતરણ પણ સાથે કરવામાં આવશે