તા.૧૩ ડિસે.ના રોજ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ સુરત જિલ્લાના ૮ તાલુકાના ૧૪ ગામોમાં પરિભ્રમણ કરશે

સુરત:મંગળવાર: સુરત જિલ્લામાં ગામે ગામ વિકસિત ભારત સંકલ્પ યાત્રા ફરી રહી છે. ઠેર ઠેર સંકલ્પ યાત્રાના રથોનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. ત્યારે ૨૯માં દિને તા.૧૩ ડિસેમ્બરના રોજ સુરત જિલ્લાના ૮ તાલુકાના ૧૬ ગામોમાં વિકસિત ભારત યાત્રાનો રથ પરિભ્રમણ કરશે. જેમાં ગ્રામજનોને આરોગ્ય કેમ્પ, આધાર કાર્ડના સુધારા વધારા તથા અન્ય યોજનાઓના લાભો લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
ઉમરપાડા તાલુકાના ઝુમાવાડી અને ચોખવાડ ગામે, ઓલપાડના દેલાસા અને મીરજાપોર, કામરેજના ઘાતવા અને નેત્રંગ, પલસાણાના તાંતીઝગડા અને લીંગડા, બારડોલીના માંગરોલીયા અને પલસોદ, મહુવાના જોળ અને રાણત, માંડવીના નૌગામા અને વદેશીયા ગામે, માંગરોળના વેલાછા અને લીંબાડા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ પરિભ્રમણ કરશે. જેમાં મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભ આપવામાં આવશે સાથે જ ગ્રામવાસીઓને વિકસિત ભારત સંકલ્પ યાત્રા પર નિર્મિત ફિલ્મ બતાવાશે.