મેમનગર સ્થિત દિવ્યપથ શાળા ના ધોરણ ૧૨ ના બાળકો દ્વારા પરીક્ષા નિમિતે ગાયત્રી પૂજન અને હવન

મેમનગર સ્થિત દિવ્યપથ શાળા ના ધોરણ ૧૨ ના બાળકો દ્વારા પરીક્ષા નિમિતે ગાયત્રી પૂજન અને હવન
તા.૨૯-૨-૨૦૨૪ ગુરુવારે સવારે ૯-૦૦થી૧૨-૦૦ દરમ્યાન દિવ્યપથ સ્કૂલ, મેમનગર,અમદાવાદ ખાતે ધો-૧૨ બોર્ડની પરીક્ષા આપવા જઈ રહેલા ૧૬૦ વિદ્યાર્થીઓના વિદાય સમારંભની ઉજવણી ૫ કુંડી ગાયત્રી મહાયજ્ઞના માધ્યમથી તેઓને ઉજ્જવળ ભવિષ્ય, કારકિર્દી,નિરામય જીવન પ્રાપ્ત થાય તે હેતુથી દિવ્યપથ શાળા દ્વારા શિક્ષક ગણના માર્ગદર્શન હેઠળ તેમજ ગાયત્રી પરિવાર નારણપુરા દ્વારા પ્રજ્ઞા પુત્ર શ્રી પ્રવીણભાઈ એમ. પટેલે સંગીત વૃંદ સાથે કલમ પૂજન સરસ્વતી પૂજન,ગણેશજી,ગુરુદેવ, ગાયત્રી મંત્ર, મહામૃત્યુંજયમંત્રના મંત્રોચ્ચાર સાથે કરાવ્યું હતું.શાળા ના સમગ્ર શિક્ષકો સાથે મળીને ૨૨૬ વિદ્યાર્થી ઓ , શિક્ષકો એ ગાયત્રી માતા નું પૂજન કરી સારા સ્વાસ્થ્ય માટે અને વિદ્યા માટે પૂજન કર્યું હતું