ગુજરાત

કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે કુવારાથી ધનપુરા રોડનું ખાતમુહૂર્ત કરાયું

કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે કુવારાથી ધનપુરા રોડનું ખાતમુહૂર્ત કરાયું

સિદ્ધપુર તાલુકાના કુંવારા ગામે ૩.૫ કરોડ ખર્ચે “કુંવારા થી ધનપુરા” ગામને જોડતા કુલ ૩.૮ કિ.મી. રોડના કામનું ખાતમુહૂર્ત માન. કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુતના હસ્તે કરવામાં આવ્યું હતું

બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે,આ રોડના નિર્માણ થકી વિસ્તારના નાગરિકોની પરિવહન વ્યવસ્થા વધુ સુગમ બનશે.

આ પ્રસંગે પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ નંદાજી ઠાકોર, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ જસુભાઈ પટેલ, શંભુભાઈ દેસાઇ, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી વિક્રમસિંહ ઠાકોર, દિલીપસિંહ ઠાકોર, અશ્વિનભાઈ પટેલ, શ્રીમતિ ચદ્રિકાબેન, શ્રીમતી રાગિણીબેન, મનીષભાઈ પ્રજાપતિ, અભુજી ઠાકોર, શંકરભાઈ તાલુકાના આગેવાનો, કાર્યકરો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button