કું. નિશા પ્રજાપતિ ભૌતિકશાસ્ત્રવિષયમાં Ph.D.

કું. નિશા પ્રજાપતિ ભૌતિકશાસ્ત્રવિષયમાં Ph.D.
સુરત શહેરના કું. નિશા નરેશકુમાર પ્રજાપતિએ ભૌતિકશાસ્ત્ર વિષયમાં “A COMPREHENSIVE STUDY ON HYDROTHERMALLY SYNTHESIZED BINARY AND TERNARY METAL SULFIDE NANOCRYSTALLINE MATERIALS” પર મહાશોધ નિબંધ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી,સુરતમાં રજુ કર્યો હતો. જેને માન્યતા આપી કું. નિશા પ્રજાપતિ ને પીએચ.ડીની ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. આ સંશોધન કાર્યવીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી,સુરતના ભૌતિકશાસ્ત્ર વિભાગના પ્રોફેસર ડૉ. ભરતકુમાર પી. મોદી ના માર્ગદર્શન હેઠળ પુર્ણ કર્યું હતું.આ સંશોધન કાર્યદરમિયાન તેણીને ગુજરાત સરકારશ્રી તરફથી શોધ સ્કોલરશીપ પ્રાપ્ત થઇ હતી.વધુમાં સમગ્ર સંશોધનકાર્યદરમિયાન તેણીના સંશોધન પત્રો આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત સામાયિક (જર્નલ)માં પ્રકાશિત થયા હતાં.તથા એલ.જે. યુનિવર્સિટી, અમદાવાદ ખાતે યોજાયેલ રાષ્ટ્રીય પરિષદોમાં દ્રિતીય અને ત્રુતિય પ્રાઇઝો મેળવ્યા હતાં.



