સેમસંગ આરએન્ડડી ઈન્સ્ટિટ્યૂટ, નોઈડા અને આઈઆઈટી મદ્રાસ વચ્ચે ભારતીય ભાષાઓ, હેલ્થટેક માટે AI જનરેટિવ AI પર સંશોધન કરવા માટે સમજૂતી કરાર

- સેમસંગ આરએન્ડડી ઈન્સ્ટિટ્યૂટ, નોઈડા અને આઈઆઈટી મદ્રાસ વચ્ચે ભારતીય ભાષાઓ, હેલ્થટેક માટે AI જનરેટિવ AI પર સંશોધન કરવા માટે સમજૂતી કરાર
- પાંચ વર્ષની ભાગીદારીનું લક્ષ્ય સ્પોન્સર્ડ રિસર્ચ પ્રોજેક્ટ્સ, કન્સલ્ટન્સી પ્રોજેક્ટ્સ, ટેકનોલોજી લાઈસન્સિંગ, તાલીમ, સુવિધા વિકાસ અને વિદ્યાર્થી ફેલોશિપ્સ પૂરી પાડવાનું છે.
- આ જોડાણ સાથે સેમસંગ આરએન્ડડી ઈન્સ્ટિટ્યૂટ, નોઈડાએ એકત્રિત સંશોધન કરવા, ટેક વિકાસને ગતિ આપવા અને ભાવિ તૈયાર પ્રતિભા પડકારોને પહોંચી વળવા માટે તેના ઉદ્યોગ- શિક્ષણ જગત સહભાગને વધુ વધાર્યો.
આ ભાગીદારી ભારતીય ભાષાઓ, હેલ્થટેક માટે AI અને જનરેટિવ AI જેવા ઊભરતાં ક્ષેત્રોમાં પ્રગતિ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.
ગુરુગ્રામ, ભારત, 17 જૂન, 2025: સેમસંગ આરએન્ડડી ઈન્સ્ટિટ્યૂટ, નોઈડા (એસઆરઆઈ- એન) દ્વારા એકત્રિત સંશોધન કરવા, ટેકનોલોજીની પ્રગતિને ગતિ આપવા અને ભાવિ તૈયાર પ્રતિભાઓને પોષવા માટે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી મદ્રાસ (આઈઆઈટી મદ્રાસ) સાથે સમજૂતી કરાર થકી તેના ઉદ્યોગ- શિક્ષણ જગત સહભાગને વધુ વધાર્યો છે. આ ભાગીદારીનું લક્ષ્ય ભારતીય ભાષાઓ, હેલ્થટેક માટે AI અને જનરેટિવ AI જેવાં ઊભરતાં ક્ષેત્રોમાં પ્રગતિ સાધવા પર ધ્યાન કેન્દ્રિત કરશે, જે ‘મેક ઈન ઈન્ડિયા’ અને ‘ડિજિટલ ઈન્ડિયા’ના ધ્યેય સાથે સુમેળ સાધતી મજબૂત ઈનોવેશન ઈકોસિસ્ટમ નિર્માણ કરવાની સેમસંગની કટિબદ્ધતા પર ભાર આપે છે.
પાંચ વર્ષના સમજૂતી કરાર પર એસઆરઆઈ- એનના મેનેજિંગ ડાયરેક્ટર ક્યુંગયુ રૂ અને આઈઆઈટી મદ્રાસના ડાયરેક્ટર પ્રો. વી. કામાકોટિ દ્વારા સહીસિક્કા કરાયું હતું. કરારનું લક્ષ્ય સ્પોન્સર્ડ રિસર્ચ પ્રોજેક્ટ્સ, કન્સલ્ટન્સી પ્રોજેક્ટ્સ, ટેકનોલોજી લાઈસન્સિંગ, તાલીમ, સુવિધા વિકાસ અને ભવિશ્યમાં વિદ્યાર્થી ફેલોશિપ્સની સ્પોન્સરશિપ સહિત એકત્રિત પ્રવૃત્તિઓની વ્યાપક શ્રેણી પૂરી પાડવાનું છે.
“એસઆરઆઈ-એનમાં અમે સતત એવી ટેકનોલોજીઓ નિર્માણ કરવા માટે કામ કરી રહ્યા છીએ, જે લોકો અને સમુદાયોને સશક્ત બનાવે છે. આઈઆઈટી મદ્રાસ સાથે અમારું જોડાણ અર્થપૂર્ણ, સમાવેશક અને ભાવિ તૈયાર સહ-નિર્મિત સમાધાન લાવવા મહત્ત્વપૂર્ણ પગલું છે. એકત્ર મળીને અમે ભારતીય પ્રાદેશિક ભાષાઓના મજબૂત અખંડીકરણ સાથે ગેલેક્સી AI ઈકોસિસ્ટમને બહેતર બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે અને દેશમાં ભાષાના અવરોધો તોડવામાં યોગદાન આપીશું. ઉપરાંત અમે ઊભરતી ટેકનોલોજીના સહ-વિકાસ અને કૌશલ્ય સંચોની બહેતરીમાં સહભાગી થઈ રહ્યા છીએ,’’ એમ સેમસંગ આરએન્ડડી ઈન્સ્ટિટ્યૂટ, નોઈડાના મેનેજિંગ ડાયરેક્ટર ક્યુંગયુ રૂએ જણાવ્યું હતું.
આઈઆઈટી મદ્રાસના ડાયરેક્ટર પ્રો. વી. કામાકોટિએ આ જોડાણને લઈ ખુશીનો પડઘો પાડતાં જણાવ્યું હતું કે, ‘‘અમને એસઆરઆઈ- એન સાથે ભાગીદારી કરવાનું ગૌરવજનક લાગે છે અને આ જોડાણ AI ટેકનોલોજીની અસરકારક ઉપયોગિતા થકી ક્રાંતિકારી સંશોધન અને ટેકનોલોજિકલ વિકાસ પ્રાયોજિત કરશે. ઝડપથી બદલાતી ટેક ક્ષિતિજમાં આ સમજૂતી કરાર જોખમો નાબૂદ કરવા અને અનિશ્ચિતતાને પહોંચી વળવા માટે આવશ્યક થિયોરેટિકલ જ્ઞાન અને પ્રેક્ટિકલ ઉદ્યોગ વચ્ચે મજબૂત જોડાણ વિકસાવવા માટે લાભાર્થીઓની કુશળતા વધારશે,’’ એમ તેમણે જણાવ્યું હતું.
સેમસંગ ઈન્ડિયા અને આઈઆઈટી મદ્રાસ વચ્ચે આ વ્યૂહાત્મક ભાગીદારી શૈક્ષણિક જોડાણના એસઆરઆઈ- નોઈડાના વધતા નેટવર્કમાં ઉમેરી કરશે. તેણે આઈઆઈટી દિલ્હી, આઈઆઈટી કાનપુર, આઈઆઈટી બોમ્બે અને આઈઆઈટી રોપર સહિત અગ્રગણ્ય સંસ્થાઓ સાથે લાંબા ગાળાના વ્યૂહાત્મક સમજૂતી કરાર અગાઉ સ્થાપિત કર્યા છે. સેમસંગ અને આ સંસ્થાઓ વધુ સ્માર્ટ, વધુ કનેક્ટેડ દુનિયા તરફ વ્યાપક રોડમેપ તૈયાર કરી રહી છે. શૈક્ષણિક જોશ સાથે ઉદ્યોગ સ્તરના સંસાધનોને જોડીને આ ભાગીદારીઓ ભાવિ બ્રેકથ્રુ માટે મજબૂત ઈકોસિસ્ટમ નિર્માણ કરશે.
એસઆરઆઈ- નોઈડા રિસર્ચ અને ડેવલપમેન્ટ (આરએન્ડડી) પ્રોજેક્ટ્સ સ્પોન્સર કરશે, જે આઈઆઈટી મદ્રાસ, કંપનીના સંકુલ અને બંને સ્થળે એકત્રિત વ્યવસ્થા થકી હાથ ધરાઈ શકે છે.