Uncategorized

મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે તેમના સ્વચ્છતા અંગેના આદર્શ વિચારોને પ્રેરણાથી સમગ્ર દેશમાં ‘સ્વચ્છતા હી સેવા’

સ્વચ્છતા હી સેવા

સ્વચ્છતા અભિયાનને વધુ વ્યાપક બનાવવા સુરત જિલ્લામાં ઠેર ઠેર સ્વચ્છતા અભિયાન યોજાયું

સુરત જિલ્લાના બસ સ્ટેશનો, રેલ્વે સ્ટેશનોએ સાફ સફાઇ કરવામાં આવી

સ્વચ્છતા અભિયાનમાં વધુમાં વધુ નાગરિકોએ જોડાઈને તેને જન આંદોલન બનાવવા જિલ્લા વહીવટીતંત્રનો અનુરોધ

સુરતઃ રવિવારઃ- મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે તેમના સ્વચ્છતા અંગેના આદર્શ વિચારોને સાર્થક કરવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સમગ્ર દેશમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન જન ભાગીદારી થકી વધુ વ્યાપક બન્યું છે

આગામી ૨ મહિના સુધી આ અભિયાનને લંબાવીને સમગ્ર રાજ્યને સ્વચ્છ, નિર્મળ અને સુઘડ બનાવવા રાજ્ય સરકાર દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સફાઈ ઝુંબેશને વધુ અસરકારક બનાવવા જનભાગીદારી થકી ઠેર ઠેર જનભાગીદારી થકી સફાઈ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે અને પરિણામે આ ઝુંબેશ જન આંદોલન બની છે.

સ્વચ્છતા અભિયાન અંતર્ગત સુરત જિલ્લામાં માંડવી, મહુવા, બારડોલી બસ ડેપો ખાતે સાફ-સફાઈ કરવામાં આવી હતી. આ ઉપરાંત બારડોલી રેલવે સ્ટેશન ખાતે પણ સ્વચ્છતા ઝુંબેશ વેગવંતી બની હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button