વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરતા માંગરોળ તાલુકાના માંડલ ઉમલા ગામના ગ્રામવાસીઓ:

સુરત:શુક્રવાર: કેન્દ્ર અને રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓના લાભો ગામે ગામ સુધી પહોંચે તેવા આશયથી સુરતના માંગરોળ તાલુકાના માંડલ ઉમલા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચ્યો હતો. જ્યાં ગ્રામજનો દ્વારા સંકલ્પ યાત્રાનું ભવ્ય સ્વાગત કરી વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી.
જેમાં પ્રાથમિક શાળાના શિક્ષક દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું. તેમજ વિવિધ શાખાઓ દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારની પોષણ અભિયાન, પીએમ કિસાન સમ્માન નિધી યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, વિશ્વકર્મા યોજના, આયુષ્યમાન કાર્ડ યોજના, જલ જીવન મિશન યોજના, અટલ પેન્શન યોજના, પ્રાકૃતિક ખેતી, પશુપાલન માટેની યોજના, તેમજ આઇ.સી.ડી.એસ માંથી મળતી તમામ યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી પુરી પાડવામાં આવી હતી.
આ અવસરે મહાનુભવોના હસ્તે સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ પોષણ અભિયાન, પી.એમ.જે.વાય યોજના, સખી મંડળ, ખેતીવાડી વિભાગ, આરોગ્ય વિભાગ, આઇસીડીએસ વિભાગના લાભાર્થીઓએ પોતાના અનુભવો જણાવ્યા હતા. તેમજ આંગણવાડી દ્વારા વિવિધ વાનગીઓનો નિદર્શન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે માંડલ ઉમલા ગામે ધારાસભ્યશ્રી ગણપતસિંહ વસાવા, જિલ્લા પંચાયતના સભ્યશ્રી દિનેશભાઈ સુરતી, તા.પં. પ્રમુખ સુરેશભાઈ ચૌધરી, તા.પં.ઉપપ્રમુખ, સરપંચશ્રી જીવણભાઈ ચૌધરી, ભાજપ જિલ્લા સંગઠન મંત્રી શ્રીમતી સીતાબેન ચૌધરી, ભાજપ મહામંત્રીશ્રી હરિ વદનભાઈ ચૌધરી, સીડીપીઓશ્રી માધુરીબેન ગુપ્તા, મેડિકલ ઓફિસર ડોક્ટર હરેશ રાદડિયા, ખેતીવાડી વિસ્તરણ અધિકારી, વ્યાસમો વિભાગના અધિકારી, આર એન્ડ બી વિભાગના અધિકારી તેમજ તમામ સભ્યશ્રી, તમામ લાભાર્થી આંગણવાડી વર્કર, તેડાગર અને અન્ય વિભાગના અધિકારી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.