ગુજરાત

પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે સદભાવના બળદ આશ્રમ અને શ્વાન આશ્રમમાં દાન આપવા અપીલ

પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે સદભાવના બળદ આશ્રમ અને શ્વાન આશ્રમમાં દાન આપવા અપીલ

700 બળદ અને 135 શ્વાનોને આશરો અપાઈ રહ્યો છે

સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા બળદ આશ્રમ અને શ્વાન આશ્રમ ચલાવવામાં આવે છે. ગુજરાતના કોઈપણ ગામ-શહેર,  હાઈવે પર  બળદ  છુટા,  રખડતા,  લાચાર–બીમાર કે વયોવૃધ્ધ અવસ્થામાં, અનાથ, નિરાધાર બળદોને સદભાવના બળદ આશ્રમ  દ્વારા આશરો અપાઈ રહ્યો છે. કોઈ નિરાધાર, નિરાશ્રીત, બીમાર કે રસ્તે રખડતા, કતલખાને જતાં કે ભૂખ-તરસ–બિમારીથી કમોતે મરતા ભવિષ્યમાં 10,000 જેટલા બળદોને સદભાવના વૃધ્ધાશ્રમ (રાજકોટ) દ્વારા નિઃશુલ્ક, આજીવન, આશરો આપવામાં આવશે. હાલમાં પણ 700 જેટલા બળદોને ‘સદભાવના બળદ આશ્રમ’ ખાતે આશરો અપાયો છે.

શ્વાન એ આપણી આસપાસ ચોમેર હોય છે. આપણા પરિવારનો જ એક હિસ્સો હોય છે. કમનસીબે શ્વાનો અકસ્માતમાં ઘવાઈને,બીમાર પડીને, ઉંમરને કારણે લાચાર બની જતા હોય છે. એવા નિ:સહાય, લાચાર શ્વાનો માટે રાજકોટમાં સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા ‘સદભાવના શ્વાન આશ્રમ’ ની શરૂઆત કરવામાં આવી છે. અહી ચાલી ન શકતા, ઊભા ન થઈ શકતા, પેરેલિસીસવાળા, કમર ભાંગેલા ,ફ્રેકચરવાળા, અંધ, અપંગ શ્વાનોને કાયમી આશરો મળી રહ્યો છે તેમજ તેમને જરૂરી સારવાર, સુવીધાઓ મળે છે. સંસ્થા દ્વારા નિત્ય જરૂરી સારવાર, વેકસીનેશન, ઓપરેશન વગેરે કરવામાં આવે છે અને એક પરિવારના સભ્યની જેમ તેમનો નિર્વાહ કરવામાં આવે છે. પ્રથમ તબક્કે 500 શ્વાનોને આશરો અપાશે. હાલમાં જોઈ ન શકતા હોય એવા 10, ઉંમરવાળા 10, અનાથ 21, પેરેલિસીસવાળા 64, અન્ય 30 એમ 135 શ્વાનો આશ્રય લઇ રહ્યા છે. આ શ્વાનોને દરરોજ મ્યુઝીક થેરાપી આપવામાં આવે છે. દરેક બીમાર શ્વાનોનું દરરોજ ચેકઅપ અને સારવાર થાય છે. પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે સદભાવના બળદ આશ્રમ અને શ્વાન આશ્રમમાં દાન આપવા અપીલ કરવામાં આવી છે.

સદભાવના બળદ આશ્રમ : છતર ગામ, મોરબી હાઈવે, રાજકોટ (મો. 7621058948)

સદભાવના શ્વાન આશ્રમ : જામનગર રોડ,ખંઢેરી સ્ટેડિયમની સામે, ગારડી કોલેજની બાજુમાં,રાજકોટ (મો. 74859 22224)

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button