સુરતના ‘આપ’ના કોર્પોરેટર પાયલ સાકરિયા અને મોનાલી હીરપરા ભાજપમાં જોડાઈ ગયાની અફવા

સુરતના ‘આપ’ના કોર્પોરેટર પાયલ સાકરિયા અને મોનાલી હીરપરા ભાજપમાં જોડાઈ ગયાની અફવા
કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થતા તેણે ભાજપ હતી. સાથે સોંદો કર્યો હોવાનો આક્ષેપ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યો હતો. આ સાથે કુંભાણી ટુંક સમયમાં ભાજપનો ભગવો ધારણ કરે તેવી ચર્ચાઓએ પણ જોર પકડયું હતું. જોકે હજુ સુધી સત્તાવાર નિલેશ કુંભાણી ભાજપમાં જોડાયા નથી. દરમિયાન કોંગ્રેસ સાથે ગઠબંધન કરી લોકસભાની ચુંટણી લડનાર આમ આદમી પાર્ટીનું સુરત મનપામાં નેતૃત્વ કરી રહેલા નેતા પાયલ સાકરીયા તેમજ સભ્ય મોનાલી થઈ હતી. હીરપરા સાથે ભાજપમાં જોડાઈ રહ્યા હોવાની વાત વહેતી થતા આપની છાવણીમાં સન્નાટો છવાઈ ગયો હતો. જોકે પાયલ સાકરીયાએ આ વાતને વખોડી કાઢી હતી
આ અંગે મળતી વિગતો અનુસાર લોકસભાની ચુંટણીના ધમધમાટ વચ્ચે આપના અને વિધાનસભાની યુવા નેતા ચુંટણીમાં ઝંપલાવનારા અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયાએ પાંચ દિવસ પહેલાં જ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડી લીધો છે. પાટીદાર અનામત આંદોલનના બે મુખ્ય ચહેરા ભાજપનો ભગવો ધારણ કરવાના હોય એવી અટકળો વહેતી
હજી આ વાતને ગણતરીના દિવસો થયા છે ત્યા તો સુરત મનપાના વિપક્ષ નેતા પાયલ સાકરીયા, મહીલા સભ્ય મોનાલી હિરપરા સાથે ભાજપમાં જોડાવાના
હોવાની વાત વહેતી થતા આપના આગેવાનો દોડતા થઈ ગયા હતા. આગામી દિવસોમાં નિલેશ કુંભાણી, પાયલ સાકરીયા અને મોનાલી હીરપરા એક સાથે ભાજપનો ભગવો ધારણ કરવાના હોવાની ચર્ચા ઉઠતા રાજકારણ ગરમાયું હતું. જોકે આ વાતને આપ દ્વારા સમર્થન આપવામાં આવ્યું નહોતું.
સુરત મહાનગર પાલિકામાં વિરોધ પક્ષના નેતા અને આમ આદમી પાર્ટીના મહિલા કોર્પોરેટર પાયલ સાકરિયાએ ભાજપના પ્રવેશ અંગે જણાવ્યું હતું કે, આ જીવનમાં તો ક્યારેય ભાજપનો ખેસ ધારણ નહીં કરૂં. હાલમાં જે ચર્ચાઓ ચાલી રહી છે તે પાયાવિહોણી છે અને આમ આદમી પાર્ટી સિવાય અન્ય કોઈપણ પાર્ટીના નેતા સાથે તેઓ કોઈ સંપર્કમાં નથી.
પાયલ સાકરિયાએ અફવાનેફગાવી દીધી, નિલેશ કુંભાણી પણ ભાજપના દરવાજે પહોંચી ગયાની અફવા