ગુજરાત

ઉત્તર ભારતીય ઉત્થાન સમિતિ દ્વારા ભવ્ય શોભાયાત્રા

ઉત્તર ભારતીય ઉત્થાન સમિતિ દ્વારા ભવ્ય શોભાયાત્રા

ઉત્તર ભારતીય ઉત્થાન સમિતિ કતારગામ વેડરોડ સુરત દ્વારા આયોજિત શ્રી રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે 22મી જાન્યુઆરીને સોમવારે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી.આ અંગે માહિતી આપતાં ઉત્તર ભારતીય ઉત્થાન સમિતિના પ્રમુખ અયોધ્યા પ્રસાદ ગુપ્તાએ જણાવ્યું હતું કે સોમવારે અયોધ્યા ધામમાં શ્રી રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે બપોરે બહુચર નગર જોગણી માતા મંદિર પાસે ઉત્તર ભારતીય ઉત્થાન સમિતિ કતારગામ-વેડરોડ સુરત દ્વારા બાઇક, કાર અને સંગીતનાં સાધનો સાથે રથયાત્રા અને ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. યાત્રા હરિ ઓમ મિલથી નીકળી ત્રિલોક નગર સોસાયટી , લક્શ્મીનગર સોસાયટી, સરદાર હોસપીટલ ,નવા મોહલ્લા, હરી દર્શન,સહજાનંદ સોસાયટી,નાયરા પેટ્રોલ પંપ અને અન્ય વિસ્તારો થઈને રહેમત નગર હનુમાન મંદિરે પહોંચી હતી. યાત્રામાં રામ, સીતા અને લક્ષ્મણના વેશમાં આવેલા બાળકોની જીવંત ઝાંખી લોકોને આકર્ષિત કર્યા હતા. કાર્યક્રમ સફળ બનાવવા માટે ધીરેન્દ્ર સિંહ ,અનિલભાઈ મોર્યા ,દત્ત સિગાર પાલજી , સંજય પટેલ,રામનારાયણ ગુપ્તા,વૈદ્યનાથ પંડીત,અરવિંદ મોર્યા,ની સાથે અન્ય કાર્ય કરો એ તન મન અને ધનથી સેવા આપી હતી!

શોભા યાત્રામાં હજારોની સંખ્યામાં સ્ત્રી-પુરુષ ભકતો જોડાયા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button