કૃષિ
બારડોલીના આંગણે યોજાયેલા પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં પ્રાકૃતિક ખેતીના સ્ટોલ્સે ખેડૂતોમાં આકર્ષણ જમાવ્યુંઃ

બારડોલીના આંગણે યોજાયેલા પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં પ્રાકૃતિક ખેતીના સ્ટોલ્સે ખેડૂતોમાં આકર્ષણ જમાવ્યુંઃ
સુરત જિલ્લાના બારડોલી સ્થિત શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિ.-બાબેન દ્વારા કેદારેશ્વર મહાદેવ મંદિર ખાતે આયોજીત ‘પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ’માં સુરત જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતો દ્વારા પ્રદર્શિત કરવામાં આવેલા વિવિધ શાકભાજીના સ્ટોલ્સે આકર્ષણ જમાવ્યું હતું. લીલી હળદર, ભીંડા, દૂધી, મેથીની ભાજી જેવા શાકભાજી કોઈ પણ રાસાયણિક ખાતરો વિના પ્રાકૃતિક પધ્ધતિથી ખેડુતો પકવી રહ્યા છે, આ શુદ્ધ શાકભાજીનું સ્ટોલમાં નિદર્શન કરાયું હતું. પ્રગતિશીલ ખેડૂતોએ સ્ટોલ્સના માધ્યમથી પ્રાકૃતિક ખેતી કરવા ઈચ્છુક ખેડૂતોને ઉપયોગી માર્ગદર્શન પણ પૂરૂં પાડ્યું હતું.