Uncategorized

તા.૨જી મેનાં રોજ અઠવાલાઇન્સ સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ‘યોગ મહોત્સવ-૨૦૨૪’ યોજાશે

તા.૨જી મેનાં રોજ અઠવાલાઇન્સ સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ‘યોગ મહોત્સવ-૨૦૨૪’ યોજાશે

‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-૨૦૨૪’ની ઉજવણીના ૫૦ દિવસ પહેલા લોકોને યોગ માટે પ્રોત્સાહન આપવા અર્થે યોગ મહોત્સવનું આયોજn

 

સુરત:મંગળવાર કેન્દ્ર સરકારના આયુષ મંત્રાલય હસ્તકની મોરારજી દેસાઇ રાષ્ટ્રીય યોગ સંસ્થા અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સંયુક્ત ઉપક્રમે તા.૨ જી મે,ગુરુવારનાં રોજ અઠવાલાઇન્સ સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સવારે ૬:૩૦ કલાકે ‘યોગ મહોત્સવ-૨૦૨૪’ યોજાશે. દર વર્ષે તા.૨૧ જૂને વિશ્વભરમાં યોજાનારા આંતરરાષ્ટ્રીય યોગ મહોત્સવની ઉજવણીનાં ૫૦ દિવસ પહેલા લોકોને યોગ માટે પ્રોત્સાહિત કરવાના હેતુસર યોગ મહોત્સવ-૨૦૨૪નુ આયોજન કરાશે. જેમાં સામૂહિક યોગાભ્યાસ કરાવવામાં આવશે.

આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કેન્દ્રીય આયુષ મંત્રાલયના સેક્રેટરીશ્રી વૈદ્ય રાજેશ કોટેચા કરશે. તેમજ આયુષ વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલશ્રી સત્યજિત પૉલ અને SMC કમિશનર શ્રીમતી શાલિની અગ્રવાલ તેમજ ઇન્ટર યુનિ. એકસેલરેટર, નવી દિલ્હીના ડાયરેક્ટર પ્રો.અવિનાશ પાંડે વિશેષ ઉપસ્થિત રહેશે.

 

.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button