સંભવિત વાવાઝોડાની પરિસ્થિતિને ધ્યાને લઈને તમામ અધિકારીઓને સાવચેતીના પગલાઓ લેવા અનુરોધઃ

સંભવિત વાવાઝોડાની પરિસ્થિતિને ધ્યાને લઈને તમામ અધિકારીઓને સાવચેતીના પગલાઓ લેવા અનુરોધઃ
દરિયાકાંઠાના વિસ્તારોમાં ૫૦ થી ૭૦ કિ.મી. કે તેનાથી વધારે ઝડપે પવન કુંકાવવાની શક્યતાને ધ્યાને લઈ લોકોએ દરિયાકિનારે ન જવા અનુરોધઃ
ભારતીય હવામાન વિભાગની આગાહી તથા ગાંધીનગરથી મળેલા દિશા નિર્દેશ અનુસાર આગામી સમયમાં વાવાઝોડાની સંભાવના રહેલી છે, જેને અનુલક્ષીને જિલ્લા કલેકટર દ્વારા અધિકારીઓને સંતર્ક રહેવા જણાવાયું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ૫૦ થી ૭૦ કિ.મી. કે તેનાથી વધારે ઝડપે પવન ફુંકાવાની શક્યતા રહેલી હોય, તકેદારીના ભાગરૂપે દરિયાકિનારાના વિસ્તારોમાં કોઈ માનવ જાનહાનિ ન થાય તેની તકેદારી રાખવા તેમજ કાંઠા વિસ્તારના ગામોના લોકો, માછીમારો દરિયો ન ખેડે, દરિયાકિનારે ન જાય તે અંગે સંબધિત અધિકારીઓને સાવચેતીના પગલાઓ લેવા સુરત જિલ્લા ડિઝાસ્ટર મામલતદાર દ્વારા જણાવાયું છે.