ધર્મ દર્શન

શ્રી ઠાકોરજી મહારાજ ને 9 માં અન્નકૂટ મહોત્સવ ની ઉજવણી કરાઈ

તા.06 નવેમ્બર 2024 નાં રોજ ઉપાસના ધામ, વેમાર ના આગણે લાભ પાંચમ નાં દિવસે શ્રી ઠાકોરજી મહારાજ ને 9 માં અન્નકૂટ મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી. આ પવિત્ર દિવસે સદગુરૂ સાધુ પૂ. હર્ષદદાદાનો 80 માં પ્રાગટય મહાપર્વ ની ઉજવણી કરવાનો આનંદ નો અવસર પ્રાપ્ત થયો.સાધુ પૂ. હર્ષદદાદા આમ તો કાનમ પ્રદેશ નાં સેગવા ગામ ના વતની છે.

સાહેબજી મહારાજ સાથે અષ્ટ સખા માના એક સદગુરૂ સાધુ. તેમનાં પ્રાગટય પર્વ ની ઉજવણી કરવાનો કાનમ વડોદરા મંડળ નાં મુક્તો ને વિશેષ આનંદ અને ઉલ્લાસ દેખાતો હતો. આ રૂડા અવસરે સદ.સાધુ પૂ.હર્ષદદાદા સાથે સદગુરૂ સાધુ પૂ.મનોજદાસજી, સાધુ પૂ.હિમંતસ્વામી (અનુપમ મિશન યુ.કે. નાં મહંતશ્રી), પૂ. શંકરભાઈ (વડોદરા), પૂ. હરીશભાઈ મુની (અનુપમ મિશન ટ્રસ્ટી શ્રી યુ.કે.) સહિત સદગુરુ સંતો હાજર રહ્યા હતા.  સદગુરુ સાધુ પ.પૂ. હર્ષદ દાદા એ આશીર્વાદ આપતા જણાવ્યું કે આપણે ભગવાન નાં અક્ષરમુકતો છીએ તેમના ચૈત્યન્ય છીએ એ નાં ભૂલીએ અને આજે સંકલ્પ સાથે ભગવાન ને રાજી કરવાના ભાવ સાથે જીવન જીવવા ની ટકોર કરી. ચેરિટી બિગેન્સ એટ હોમ. સંપ સુહ્રહભાવ અને એકતાં સાથે કુટુંબ પરિવાર માં સંવાદિતા સાથે જીવવા ની પ્રાર્થના કરી.પ્રગટ સ્વરૂપે મળેલ ભગવંત સ્વરૂપ સાહેબજી મહારાજ ને રાજી કરવા ની સુંદર વાત કરી. સદ.સાધુ મનોજ દાસજી નાં જીવન દર્શન ની સ્મૃતિ કરાવી. ધૂન પ્રાર્થના કરી . શ્રી ઠાકોરજી ને અર્પણ કરેલા થાળ અન્નકૂટ રૂપે જે જે મુકતો ભક્તો એ વાનગીરૂપે પોતાનાં ભાવ ને ધરાવ્યા હતા તેમને થાળ કીર્તન ભક્તિ થી આરોગવા આજીજી કરી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button