સમગ્ર રાજકોટ બનશે જલારામમય

”જયાં રોટીનો ટુકડો, ત્યાં હરી ઢુકડો”
રઘુવંશી ચેરીટેબલ ટ્રસ્ટ—મવડી પ્લોટ દ્વારા રાજકોટમાં સતત ૧૮ માં વર્ષે પૂ.જલારામ બાપાની ૨૨૪ મી જન્મ જયંતિ અનોખી ઉજવણી કરાશે.
સમગ્ર રાજકોટ બનશે જલારામમય
સર્વે ભાવિકોને મહાપ્રસાદ, મહાઆરતીના દર્શનનો લાભ લેવા આમંત્રણ.
રઘુવંશી ચેરીટેબલ ટ્રસ્ટ–મવડી પ્લોટ દ્વારા રાજકોટમાં સતત ૧૮ માં વર્ષે પૂ.જલારામ બાપાની ૨૨૪ મી જન્મ જયંતિની ધામધૂમ પૂર્વક ઉજવણી તા.૧૯ નવેમ્બર, રવીવારના રોજ, સ્વાશ્રય સોસાયટી કોમ્યુનીટી હોલ, આનંદ બંગલા ચોક, ડો. ભગવાનજીના દવાખાના સામે, મવડી મેઈન રોડ, રાજકોટ ખાતે કરાશે.
ભોજન અને ભજનની અહાલેક સમગ્ર વિશ્વમાં જગાડનાર, આપણા સૌના પરમ શ્રદ્ધેય, પ્રાતઃસ્મરણીય,સંત શીરોમણી જલારામ બાપાના ૨૨૪ માં પ્રાગટય પર્વના ભકિતમય, ભાવભીના ઉત્સવની રઘુવંશી ચેરીટેબલ ટ્રસ્ટ–મવડી પ્લોટ દ્વારા રાજકોટ શહેરમાં સતત ૧૮ માં વર્ષે સંતો, મહંતો, વડીલો તેમજ લાખો ભાવિક સમુદાયના સથવારે એક અનેરી ઉજવણી કરવામાં આવનાર છે.
સમગ્ર આયોજનને રઘુવંશી વડીલોના માર્ગદર્શન હેઠળ જયદીપભાઈ કોટક, ભદ્રેશભાઈ રાયઠઠ્ઠા, ભાવેશભાઈ સવાણી, મિત ખખ્ખર, નિરવ રાયચુરા આ ઉપરાંત અનેક નામી અનામી કાર્યકર્તા ભાઈઓ તથા બહેનો જહેમત ઉઠાવી રહયા છે.
આ અંગેની વિશેષ માહિતી માટે જયદીપભાઈ કોટક (મો.૯૭૩૭૦ ૦૪૭૯૮), ભદ્રેશભાઈ રાયઠઠ્ઠા (મો.૯૯૨૫૨ ૫૮૧૮૧), ભાવેશભાઈ સવાણી (મો.૯૪૨૮૨ ૩૧૯૮૪) પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.
”માનવતાનો દીપ પ્રગટાવવાની હામ છે અમારી,
આપણા સૌના સહીયારા પ્રયાસથી જ
જયોતથી જયોત પ્રગટશે ન્યારી