વ્યાપાર

ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા મુંબઇ ખાતે SGCCI આર્ટ એકઝીબીશન યોજાશે, ૪ર જેટલા પ્રતિભાશાળી કલાકારો તેમની પેઇન્ટીંગ પ્રદર્શિત કરશે

ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા મુંબઇ ખાતે SGCCI આર્ટ એકઝીબીશન યોજાશે, ૪ર જેટલા પ્રતિભાશાળી કલાકારો તેમની પેઇન્ટીંગ પ્રદર્શિત કરશે

 

*તા. ૯ જૂન ર૦ર૪ના રોજ સુરતમાં અઠવાગેટ સ્થિત વનિતા વિશ્રામ આર્ટ ગેલેરી ખાતે ‘આર્ટ પ્રિવ્યુ’ રાખવામાં આવશે, જેમાં કલાકારોના પેઇન્ટીંગ પ્રદર્શિત કરવામાં આવશે*

 

*સુરત.* ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા તા. ૧૧થી ૧૭ જૂન, ર૦ર૪ના રોજ ૧૧:૦૦થી સાંજે ૭:૦૦ વાગ્યા દરમ્યાન નહેરુ સેન્ટર આર્ટ ગેલેરી – ડિસ્કવરી ઓફ ઇન્ડિયા બિલ્ડિંગ, ડો. એનીબેસન્ટ રોડ, વરલી, મુંબઇ ખાતે SGCCI આર્ટ એકઝીબીશનનું આયોજન કરવામાં આવશે.

 

આ એકઝીબીશનમાં સુરત ઉપરાંત અમદાવાદ, વડોદરા, દમણ અને મુંબઇના કુલ ૪ર કલાકારો ભાગ લેશે, જેમાં તેમના દ્વારા બનાવવામાં આવેલી ઓઇલ પેઇન્ટીંગ, એક્રેલીક પેઇન્ટીંગ, સ્કલ્પચર્સ, ફોટોગ્રાફી અને પેન્સીલ ડ્રોઇંગ વિગેરે જુદી–જુદી કેટેગરીના આર્ટનું પ્રદર્શન કરવામાં આવશે. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પ્રથમ વખત મુંબઇ ખાતે આ પ્રકારના એકઝીબીશનનું આયોજન કરવામાં આવી રહયું છે.

 

જો કે, મુંબઇ ખાતે એકઝીબીશન આયોજિત કરવાના બે દિવસ પહેલા તા. ૯ જૂન ર૦ર૪ના રોજ સુરતમાં અઠવાગેટ સ્થિત વનિતા વિશ્રામ આર્ટ ગેલેરી ખાતે ‘આર્ટ પ્રિવ્યુ’ રાખવામાં આવશે. જેમાં મુંબઇ ખાતે આયોજિત એકઝીબીશનમાં પસંદગી પામેલા ૪ર જેટલા કલાકારોના આર્ટ પેઇન્ટીંગનું એક દિવસ માટે પ્રદર્શન કરવામાં આવશે. આ એકઝીબીશનમાં શ્રી ચરણજીત સિંગ કયુરેટર તરીકેની ભૂમિકા ભજવશે.

 

‘આર્ટ પ્રિવ્યુ’માં કલાકારો દ્વારા બનાવવામાં આવેલી વિવિધ પ્રકારની પેઇન્ટીંગ ઉપલબ્ધ રહેશે. શહેરીજનોને આ એકઝીબીશનની મુલાકાત લેવા માટે અને પેઇન્ટીંગની ખરીદી કરવા માટેનું નિમંત્રણ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button