સુરત ડાયમંડ ઍસો.માં ૨૭ વેપારીઅોના પરિવારોની કે.પી. સંઘવી વિરૂદ્ધ રજૂઆત

સુરત ડાયમંડ ઍસો.માં ૨૭ વેપારીઅોના પરિવારોની કે.પી. સંઘવી વિરૂદ્ધ રજૂઆત
ઉમિયા માતાના મંદિર પાસે આવેલ કીર્તિભાઈ પી.સંઘવીને નાના હીરાના વેપારીઓએ હીરાની નુકસાની બદલ ચૂકવણી કરી દીધા બાદ પણ કે.પી. સંઘવી દ્વારા ૨૭ વેપારીઓ પર જુદા જુદા કેસો કરતા આજે મામલો સુરત ડાયમંડ એસોસિએશનની ઓફિસ પર પહોંચ્યો હતો. જાકે, આવતા સપ્તાહમાં કે.પી. સંઘવી સુરત ડાયમંડ એસોસિએશનને મળશે. એવુ વિશ્વસનીય સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.
૨૭ નાના વેપારીઓ પૈકી એક હિતેશભાઈ કાકડીયા નામના હીરાના વેપારી વર્ષોથી ડાયમંડના વેપાર સાથે સંકળાયેલા છે. હીતેશભાઈએ કે.પી. સંઘવી પાસેથી ડાયમંડ ખરીદ્યા હતા અને મંદીને કારણે જે નુકસાન આવી તેના બદલામાં બધુ ભરપાઈ કરી દીધું છે તેમ છતાં કે.પી. સંઘવીએ હિતેશભાઈ કાકડીયા સામે કેસ કરતા તેઓ ચાર મહિના જેલમાં રહ્યા હતા. આ ચાર મહિના દરમ્યાન પારૂલબેન કાકડીયાએ પોતાના ઘરેણા-દાગીના બેંક એફડી તમામ વસ્તુઓ ઘરખર્ચમાં વાપરી નાંખતા હવે કંઈ બચ્યું નથી. તેમને માત્ર એક વિચાર આવે છે કે, પારૂલબેન આત્મહત્યા કરે, એટલે મારો પતિ હિતેશ કાકડીયા આત્મહત્યા કરશે એટલે ત્યારબાદ પારૂલબેનના છોકરાઓ પણ તેમની પાછળ આવશે આના માટે એકમાત્ર તેના જવાબદાર કે.પી. સંઘવી જ રહેશે એવું પારૂલબેન કાકડીયાએ જણાવ્યું હતું.
ભોગ બનનારના પત્ની ઈલાબેન ભીંગરાડીયાએ જણાવ્યું હતું કે, પતિ દિપકભાઈ ભીંગરાડીયા ડાયમંડના વેપાર સાથે સંકળાયેલા છે. હીરામાં નુકસાની જતા તમામ ચૂકવણી કે.પી. સંઘવીને કરી દીધું છે. તેમ છતાં મહિલાઓને કોર્ટ કેસમાં સાંકળી લેવામાં આવ્યા છે. ઈલાબેન પાસે નાકનો સોનાનો દાણો અને કાનની બુટ્ટી જ રહી છે. એ સિવાય તમામ વસ્તુઓ વેચી દઈ ઘર ચલાવ્યું છે. ઈલાબેન અને તેમનો પરિવાર કોઈપણ પગલા ભરશે તેની જવાબદારી કે.પી. સંઘવી (કિર્તીભાઈ સંઘવી) જ રહેશે એવું પણ તેમણે જણાવ્યું હતું.