2024 માં વધારે ને વધારે ધ્યાન- અભ્યાસ કરવું” – પરમ સંત રાજીન્દર સિંહજી મહારાજ

2024 માં વધારે ને વધારે ધ્યાન- અભ્યાસ કરવું” – પરમ સંત રાજીન્દર સિંહજી મહારાજ
સાવન કૃપાલ રુહાની મિશનના અધ્યક્ષ સંત રાજીન્દર સિંહજી મહારાજે નવા વર્ષ ૨૦૨૪ ના આગમન પર શિકાગો, અમેરિકા થી યુ-ટ્યુબ પર લાઈવ-ટેલીકાસ્ટ ના આધારે આશા, શાંતિ અને ધ્યાન અભ્યાસ નો વિશ્વ-કલ્યાણકારી સંદેશ આપ્યો.
સંપૂર્ણ માનવજાતી ને નવું વર્ષ ૨૦૨૪ ના આગમન ની શુભકામના આપતા સંત રાજીન્દર સિંહજી મહારાજ એ એમના નવા વર્ષના આધ્યાત્મિક સ્લોગન “2024 માં વધારે ને વધારે ધ્યાન-અભ્યાસ કરવો” એ સ્લોગન પર ભાર આપતા કહ્યું કે આપણે આપણા જીવનમાં ધ્યાન-અભ્યાસ ને પ્રાથમિકતા આપવી. જેના દ્વારા આપણે આપણા શારીરિક, માનસિક, ભાવનાત્મક અને આધ્યાત્મિક સ્વાસ્થ્યને સારું રાખી શકીએ છીએ.
ત્યારબાદ સંત રાજીન્દર સિંહજી મહારાજે નવા વર્ષની શુભકામનાઓ આપતા કહ્યું કે આ નવું વર્ષ તમારા બધા માટે ખુશીઓથી ભરપૂર રહે. જ્યારે આપણે નવા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છીએ તો આ નવું વર્ષ તમારા બધા માટે પાછલા વર્ષ કરતા વધારે સારું રહે. હું તમારા બધા માટે પ્રાર્થના કરું છું કે તમે બધા શારીરિક રૂપથી સ્વસ્થ રહો, માનસિક રૂપથી તણાવમુક્ત રહો, ભાવનાત્મક રૂપથી ખુશ રહો અને આધ્યાત્મિક રૂપથી પ્રગતિ કરો. નવા વર્ષનું આ સ્લોગન”2024 માં વધારેમાં વધારે ધ્યાન અભ્યાસ કરીએ”આપણને સમજાવે છે કે આપણે વધારેમાં વધારે સમય પ્રભુની યાદમાં વિતાવીએ. જેટલું વધારે આપણે ધ્યાન અભ્યાસ કરીશું એટલું વધારે આપણે પ્રભુની નજીક થતા જઈશું.
ધ્યાન અભ્યાસ આપણા જીવનના બધા પહેલુંમાં ઉન્નતિ કરવા માટે આપણી સહાયતા કરે છે. આ આપણા શરીરના બધા દુઃખ દર્દ દૂર કરીને આપણને શારીરિક રૂપથી પણ સ્વસ્થ રાખે છે. આના દ્વારા આપણે તણાવ અને ચિંતા થી મુક્ત થઈને શાંત અને સ્થિર જીવન જીવી શકીએ છીએ. આ આપણને બૌદ્ધિક સ્તર પર કોઈ પણ કાર્યમાં ધ્યાન કેન્દ્રિત કરવાની કુશળતા મેળવવામાં પણ મદદગાર થાય છે.
ધ્યાન અભ્યાસ સૌથી મહત્વપૂર્ણ લાભ એ છે કે તેના દ્વારા આપણે પોતાની આત્માને જાણીને પિતા પરમેશ્વર દિવ્ય પ્રેમ અને જ્યોતિ માં જોડાઈ શકીએ છીએ. જ્યારે આપણે ધ્યાન અભ્યાસ કરીને પોતાના આધ્યાત્મિક લક્ષ્ય તરફ કેન્દ્રિત થઈએ છીએ તો આપણે પિતા પરમેશ્વરની બહુ જ નજીક પહોંચી જઈએ છીએ. નવું વર્ષ 2024 ના અવસર પર તમારા બધા માટે મારી આ શુભકામનાઓ છે.
સંત રાજીન્દર સિંહજી મહારાજ ને આંતરરાષ્ટ્રીય સ્તર પર ધ્યાન અભ્યાસ દ્વારા વિશ્વમાં આંતરિક તથા બાહ્ય શાંતિ સ્થાપિત કરવા માટે ઓળખવામાં આવે છે.સંત રાજીન્દર સિંહજી મહારાજ વિશ્વવિખ્યાત આધ્યાત્મિક ગુરુ તથા વિશ્વ પ્રસિદ્ધ લેખક છે. જે પાછલા 34 વર્ષોથી પુરા વિશ્વભરમાં શાંતિ, એકતા અને પ્રેમનો સંદેશ ફેલાવી રહ્યા છે. સાવન કૃપાલ રુહાની મિશન નું મુખ્યાલય વિજયનગર દિલ્હીમાં છે તથા આંતરરાષ્ટ્રીય મુખ્યાલય નેપરવિલે અમેરિકામાં સ્થિત છે. આ મિશનના વિશ્વભરમાં 3200 થી પણ વધારે કેન્દ્ર સ્થાપિત છે.