રાજનીતિ

૨૨ એપ્રિલથી ૬ મે દરમિયાન સુરત જિલ્લામાં મતદાર જાગૃતિના વિવિધ કાર્યક્રમો: મતરદારોને મતદાન માટે જાગૃત કરાશે

તા.૨૨ એપ્રિલથી ૬ મે દરમિયાન સુરત જિલ્લામાં મતદાર જાગૃતિના વિવિધ કાર્યક્રમો: મતરદારોને મતદાન માટે જાગૃત કરાશે

જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી શિવાની ગોયલના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ

સુરત:મંગળવાર: આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ને અનુલક્ષીને સમગ્ર સુરત જિલ્લામાં મહત્તમ મતદારો મતદાન કરી લોકશાહીના મહાપર્વમાં સહભાગી બને તે માટે જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી શિવાની ગોયલની અધ્યક્ષતામાં ટર્નઆઉટ ઇમ્પ્લીમેન્ટેશન પ્લાન (TIP)
હેઠળ વિવિધ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી.
જેમાં સમગ્ર સુરત જિલ્લામાં તા.૨૨/૪/૨૦૨૪ થી ૬/૫/૨૦૨૪ દરમિયાન યોજાનારા મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો વિષે ચર્ચા કરવામાં આવી હતી. તા.૭ મી મે એ રાજ્યસહિત સમગ્ર સુરત જિલ્લામાં યોજાનારી ચૂંટણીમાં નવા મતદારો, યુવાઓ, વૃદ્ધો ને મહિલાઓ સહિત દરેક વયના લોકો વધુમાં વધુ ભાગીદારી નોંધાવે એ માટે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા મતદાન જાગૃતિની સઘન પ્રવૃતિઓ કરીને નાગરિકોને મતાધિકારનો ઉપયોગ કરવા માટે સતત પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.
તા.૨૨ એપ્રિલથી ૬ મે સુધીના મહત્વપૂર્ણ ૧૫ દિવસમાં મતદાન પ્રોત્સાહનના કાર્યક્રમો દ્વારા સુરત જિલ્લામાં જ્યાં પુરૂષો અને મહિલાઓના મતદાનની ટકાવારીમાં ૧૦ ટકાથી વધુનો તફાવત હોય તેમજ ૫૦ ટકાથી ઓછું મતદાન થતુ હોય તેવા મતદાન મથકોમાં મહિલા મતદારોનું મતદાન વધે તેમજ સુરતમાં મતદાનની ટકાવારીમાં વધારો થાય તે માટે વિશેષ પ્રયત્નો કરવામાં આવશે.
આ બેઠકમાં અધિક જિલ્લા ચુંટણી અધિકારી કમલેશ રાઠોડ અને આર.સી.પટેલ,  ટર્નઆઉટ ઇમ્પ્લીમેન્ટેશન પ્લાન હેઠળના અધિકારીઓ તેમજ વિવિધ વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા.

           આ બેઠકમાં અધિક જિલ્લા ચુંટણી અધિકારી કમલેશ રાઠોડ અને આર.સી.પટેલ,  ટર્નઆઉટ ઇમ્પ્લીમેન્ટેશન પ્લાન હેઠળના અધિકારીઓ તેમજ વિવિધ વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button