વરાછા બેંકની ૨૯મી વાર્ષિક સાધારણ સભા સંપન્ન થઈ ||

|
|| વરાછા બેંકની ૨૯મી વાર્ષિક સાધારણ સભા સંપન્ન થઈ ||
|| ૨૯ વર્ષમાં બેંકે રૂ|. ૫૪૭૯ કરોડના બિઝનેસ સાથે કરી નક્કર પ્રગતિ ||
|| વરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ નું આયોજન ||
|| અકસ્માત વીમા પોલીસી અંતર્ગત ખાતેદારના વારસદારને રૂ|. ૨૦ લાખની વીમા રકમ ચેક અર્પણ કરાયો ||
મલ્ટી સ્ટેટ બેંકના દરજ્જાની સહકારી બેંકો માં અગ્રીમ સ્થાન ધરાવતી ધી વરાછા કો-ઓપરેટિવ બેંક લિ., સુરતની ૨૯મી વાર્ષિક સાધારણ સભાનું આયોજન તારીખ. 04/06/2024 મંગળવાર ના રોજ બેંકના સહકાર ભવન, વ્રજચોક, સરથાણા વિસ્તાર ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં સમારોહના અધ્યક્ષ તરીકે રાજ્યસભાનાં સાંસદશ્રી ગોવિંદભાઈ ધોળકિયા ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે મુખ્ય મહેમાન પદે ધી સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ સુરતના પ્રમુખશ્રી વિજયભાઈ મેવાવાલા તેમજ સુરત જિલ્લા રજીસ્ટ્રારશ્રી ધ્રુવીનભાઈ પટેલ અને ટ્રુ લાઇન સોલ્યુશન ના ફાઉન્ડર અને સી.ઈ.ઓશ્રી અનિલભાઈ વાઘાણી ઉપસ્થિત હતા. રૂ|. 3395 કરોડ થાપણ અને રૂ|. 2084 કરોડથી વધુ ધિરાણ સાથે નક્કર પ્રગતિ કરનાર વરાછા બેંક દ્વારા દર વર્ષની માફક વાર્ષિક સાધારણ સભાની સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રમતગમત ક્ષેત્રે વિશે સિદ્ધિ પ્રાપ્ત કરનાર તેમજ નિ&સ્વાર્થ સમાજ સેવા કરતી પ્રતિભાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા અને અકસ્માતે અવસાન પામનાર ખાતેદારના વારસદારને રૂ|. 20 લાખની વીમા રકમનો ચેક મહેમાનશ્રીઓના હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો.
વરાછા બેંકના BoM ચેરમેનશ્રી કાનજીભાઈ ભાલાળાને સહકારી જગતની સૌથી મોટી સંસ્થા IFFCO દ્વારા 40 વર્ષથી સહકારી પ્રવૃત્તિમાં મહત્વનું યોગદાન આપવા બદલ રૂ|. 11 લાખ ની માતબર રાશિ પુરસ્કાર સાથે “સહકારિતા બંધુ” એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા તે બદલ વરાછા બેંક પરિવાર તરફથી આજની સાધારણ સભામાં તેઓનું ઉમંગભેર સન્માન કરવામાં આવ્યું હતું. સમારોહના અધ્યક્ષ શ્રી ગોવિંદભાઈ ધોળકિયાએ બેંકને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, મલ્ટી સ્ટેટ બેંકના દરજ્જા સાથે સહકાર ભાવનાથી કાર્ય કરતી વરાછા બેંક હંમેશા આધુનિક ટેકનોલોજી સાથે સેવા પૂરી પાડે છે, જે નોંધનીય બાબત છે અને બેંકના બોર્ડ ઓફ મેનેજમેન્ટ ચેરમેનશ્રી કાનજીભાઈ ભાલાળા ને હાલમાં IFFCO તરફથી “સહકારિતા બંધુ” એવોર્ડથી નવાજવામાં આવ્યા છે ત્યારે વરાછા બેંક ની યશ કલગીમાં મોર પિંછ ઉમેરાયું છે જે ખૂબ ગૌરવની બાબત છે. વરાછા બેંક હજુ ઉત્તરોતર પ્રગતિ કરે તેવી શુભેચ્છા પાઠવું છું.
ગોવિંદભાઈ ધોળકિયા નું તથા અન્ય મહેમાનોનું અભિવાદન
સમાજ રત્ન અને અગ્રણી ઉદ્યોગપતિ આદરણીય શ્રી ગોવિંદભાઈ ધોળકિયા ભારત સરકારના રાજ્યસભાનાં સાંસદ તરીકે ચૂંટાયા તે બદલ વિશેષ ગૌરવની લાગણી સાથે વરાછા બેંક તરફથી તેઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું, આ સાથે ધી સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ સુરતના પ્રમુખ બન્યા તે બદલ શ્રી વિજયભાઈ મેવાવાલાનું સન્માન કરવામાં આવ્યું હતું સાથે સુરત જિલ્લા રજીસ્ટ્રાર તરીકે ફરજ બજાવતા ગુજરાત સરકારના ક્લાસ 1 અધિકારીશ્રી ધ્રુવીનભાઈ પટેલનું સહકારી સંસ્થા તરીકે તેમનો અવિરત સહયોગ મળવા બદલ વરાછા બેંક દ્વારા અભિવાદન કરી કૃતજ્ઞતા નો ભાવ પ્રગટ કરવામાં આવ્યો હતો. વિશ્વમાં IT ક્ષેત્ર ખૂબ ઝડપથી પ્રગતિશીલ બની રહ્યું છે, ત્યારે સુરતના યુવા IT સ્ટાર્ટઅપ અને યુવા ઉદ્યોગ સાહસિકો માટે પ્રેરણા સ્ત્રોત ટ્રુ લાઇન સોલ્યુશન ના ફાઉન્ડર તેમજ C.E.O. શ્રી અનિલભાઈ વાઘાણી ને પણ સભામાં સન્માનિત કરવામાં આવ્યા હતા.
વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન
આંતરરાષ્ટ્રીય સ્તર પર ટ્રાયથલોન પ્રતિયોગિતામાં રાષ્ટ્રનું નામ રોશન કરનાર કું .હેનીબેન ઝાલાવાડીયા નું બેંક દ્વારા વિશેષ સિદ્ધિ સન્માન કરવામાં આવ્યું હતું. ટ્રાયથલોન સ્પોર્ટ્સમાં ખૂબ સારું પ્રદર્શન કરી આંતરરાષ્ટ્રીય તેમજ રાષ્ટ્રીય કક્ષાએ ખૂબ સારી પ્રસિદ્ધિ હાંસિલ કરી છે. એવી જ રીતે મેરેથોન દોડ અને રાજ્યમાં યોજાતી વિવિધ પ્રતિયોગીતામાં વિજય બની રાજ્યનું નામ રોશન કરનાર શ્રી રુદ્ર પંકજભાઈ કાપડિયા દ્વારા રાજ્યકક્ષાએ ખૂબ સારી પ્રસિદ્ધિ હાંસિલ કરી તે બદલ વિશેષ સિદ્ધિ સન્માન કરવામાં આવ્યું હતું. નિસ્વાર્થ ભાવે તહેવારમાં ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે સુરત ટ્રાફિક પોલીસને સહયોગ કરી મદદરૂપ બનનાર મહારાજા કૃષ્ણકુમારસિંહજી પ્રાથમિક શાળાના આચાર્યશ્રી ચેતનભાઇ હિરપરાની આ સમાજ સેવાની નોંધ લેવામાં આવી હતી.
અકસ્માત વીમા પોલિસી અંતર્ગત રૂ|. 20 લાખ વીમા રકમ નો ચેક અર્પણ
વીમા સેવામાં અગ્રેસર વરાછા બેંક દ્વારા ઇફકો ટોકયો જનરલ ઇન્શ્યોરન્સ કંપની સાથે ટાઈઅપ કરી ખાતેદારો માટે માત્ર રૂ|.1510 નાં વાર્ષિક પ્રીમિયમમાં રૂ|.૧૫ લાખની અકસ્માત વીમા પોલિસી બનાવવામાં આવી છે જે પોલીસી અંતર્ગત ખાતેદાર સ્વ. ચંદ્રકાંતભાઈ પરસોતમભાઈ પટેલ નું અવસાન થતા તેમના વારસદાર શ્રીમતી કપિલાબેન ચંદ્રકાંત પટેલને રૂ|. 15 લાખ અને વરાછા બેંકની ખાતેદાર અકસ્માત વીમા પોલિસી અંતર્ગત રૂ|. 1 લાખ તથા પ્રધાનમંત્રી વીમા યોજના હેઠળ રૂ|. 4 લાખ મળીને કુલ રૂ|. 20 લાખની રકમનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.
વીમા જાગૃતિ માટેની બેંકની કામગીરી પ્રશંસનીય છે. બેંક દ્વારા પ્રધાનમંત્રી વીમા યોજનામાં પણ તમામ ખાતેદારોને આવરી લીધા છે. વીમા વિભાગ દ્વારા વારસદારને વીમા કલેઇમની રકમ ખૂબ ઝડપથી ચુકવવાની કામગીરી કરવામાં આવે છે. બેંક દ્વારા અત્યાર સુધીમાં પ્રધાનમંત્રી વીમા યોજના અંતર્ગત 1213 ખાતેદારોના અવસાન થતા તેમના પરિવારોને રૂ|. 24 કરોડની વિમા રાશી ચૂકવવામાં આવી છે. જે બેંકના સ્લોગન “સ્મિત સાથે ઝડપી સેવા” ને સાચા અર્થમાં સાર્થક કરે છે. આ સાથે બેંકના જે કર્મચારી દ્વારા પ્રમાણિકતા દાખવવામાં આવી હતી તે બદલ તેમનું સન્માન કરવામાં આવ્યું અને વર્ષ દરમિયાન જે શાખા અને વિભાગ દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી તેમને સન્માનિત કરી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
સાધારણ સભામાં બેંકના ચેરમેન શ્રી ભવાનભાઈ નવાપરા એ સ્વાગત પ્રવચનમાં તમામ મહેમાનશ્રીઓ નો પરિચય આપી શબ્દોથી આવકાર્યા હતા. વધુમાં જણાવ્યું હતું કે બેંક અધ્યતન ટેકનોલોજી સાથે ખૂબ ઝડપથી ગ્રાહકોને સેવા પૂરી પાડે છે, તે બદલ વરાછા બેંકને “Best Digital Bank of the Year” નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ટેકનોલોજી નાં લાભો સાથે ગેરલાભો પણ એટલા જ છે, ત્યારે થોડી ઘણી પણ બેદરકારી સાયબર ફ્રોડનો ભોગ બનાવી દે છે. જેના પરિણામ સ્વરૂપે સાયબર ક્રાઇમ પણ વધવા પામ્યું છે. ત્યારે આ સાવચેતીના ભાગરૂપે બેંકનું આઈટી ડિપાર્ટમેન્ટ 24 કલાક કાર્યરત રહી સાયબર ફ્રોડ માટે ખાતેદારોને ક્વીક રિસ્પોન્સના માળખા સાથે સુરક્ષા પૂરી પાડે છે. બેંક દ્વારા પેરા બેન્કિંગ સેવા અંતર્ગત મ્યુચ્યુઅલ ફંડ સેવા શરૂ કરવામાં આવી હતી જેના એક વર્ષમાં જ ખૂબ નોંધપાત્ર કામગીરી કરી છે.
વધુમાં બેંકના બોર્ડ ઓફ મેનેજમેન્ટના ચેરમેનશ્રી કાનજીભાઈ ભાલાળા એ બેંક પરિવાર દ્વારા કરવામાં આવેલ ઉષ્માભેર સન્માન માટે કૃતજ્ઞતા ભાવ સાથે વિશેષ સિદ્ધિ નો શ્રેય બેંક પરિવારને આપ્યો હતો. બેંકની સિદ્ધિ અને સફળ યાત્રામાં તમામ સભાસદ મિત્રો, ખાતેદાર મિત્રો, અને કર્મચારી નું મહત્વનું યોગદાન છે. જેના પરિણામ સ્વરૂપે “વરાછા બેંકને બેસ્ટ અર્બન કો ઓપરેટિવ બેન્ક” નો એવોર્ડ મળ્યો છે. બેંકના સહકાર ભવન ના શુભારંભ સાથે બેંકને મળેલ મલ્ટી સ્ટેટ બેંકનો દરજ્જો અને સહકારી જગતમાં વિશેષ સ્થાન પ્રાપ્ત કરવાનું અમોને વિશેષ ગૌરવ છે. બેંક હર હંમેશ તેના ગ્રાહકોની હિતને કેન્દ્રમાં રાખી અવિરત સેવા પૂરી પાડે છે બેંક સંપત્તિ સર્જન હોય કે સાઇબર ક્રાઇમ તમામ તબક્કે ગ્રાહકોનું હિત મધ્યમાં રાખી નવી સેવા તેમજ ટેકનોલોજી નો વ્યાપ વધારી રહી છે. ઉપરાંત બેંકે મ્યુચ્યુઅલ ફંડ સેવા થકી તમામ ખાતેદારો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરીને પોતાની સંપત્તિનું સર્જન કરી શકે તે માટે મહત્તમ ઉપયોગી બની રહી છે.
આજના પ્રસંગે બેંકના સ્થાપક ચેરમેનશ્રી પી.બી. ઢાકેચા, વાઇસ ચેરમેનશ્રી જી.આર.આસોદરિયા સાથે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને બોર્ડ ઓફ મેનેજમેન્ટના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. બેંકના જનરલ મેનેજરશ્રી વિઠ્ઠલભાઈ ધાનાણીએ અહેવાલ રજૂ કરી વાર્ષિક સાધારણ સભાની કાર્યવાહી કરી હતી અને સભામાં સભાસદો દ્વારા સર્વાનુમતે 12 ટકા ડિવિડન્ડ મંજૂર થતા જ ચાલુ કાર્યક્રમમાં ટેકનોલોજી થકી સભાસદના ખાતામાં ડિવિડન્ડ એક જ ક્લિકમાં જમા આપવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે આભારવિધિ વાઇસ ચેરમેનશ્રી જી.આર. આસોદરીયા દ્વારા કરવામાં આવી હતી. જ્યારે કાર્યક્રમનું સંચાલન કર્મચારીશ્રી ચિરાગભાઈ વાડદોરીયા અને કું. રીમાનીબેન ગૌસ્વામી દ્વારા કરવામાં આવ્યું હતું.