ગુજરાત

કૃભકો રેલ્વે લાઈન ક્રોસિંગ પર રોડ ડાયવર્ઝન અપાયું

કૃભકો રેલ્વે લાઈન ક્રોસિંગ પર રોડ ડાયવર્ઝન અપાયું

રેલ્વેના સમારકામ અંગે જાહેર સૂચના

સુરત, તા ૨૪

હજીરા-ઇચ્છાપોર-સાયણ રોડ ઉપર જહાંગીરપુરા-વણકલા- ઓખાથી અંભેટા- કુકણી-અરિયાણા ગામ તરફ જવા માટે કૃભકો રેલ્વે લાઈન ક્રોસિંગ ન્ઝ – ૧૨ (દાંડી) ફાટક પાસે રેલ્વેના પાટાનું સમારકામ કરવાનું હોય અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી વિજય રબારીએ ટ્રાફિક વ્યવસ્થાના ભાગરૂપે રોડ ડાયવર્ઝનનું જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે. જે અનુસાર LC-૧૨ (દાંડી ફાટક) ઉપર વાહનોની અવાર- જવર બંધ કરી ત્યાંથી પસાર થતા વાહનો માટે વૈકલ્પિક રસ્તાઓ તરીકે (૧) જહાંગીરપુર વણકલા-ઓખા થી અંભેટા-કુંકણી- અરિયાણા ગામ તરફ અવર-જવર કરવા માટે ભેંસાણ-બરબોધન ચોકડી પાસે આવેલ કૃભકોની રેલ્વે ફાટક LC-૧૫ નો ઉપયોગ કરી દિહેણ-નારથાણ ગામના રસ્તા (૨) LC-૧૨ અને LC-૧૩ વચ્ચે સેગવા છામાં ગામ પાસે નહેરની સમાંતર આવેલા માર્ગ મારફતે અવર-જવર ચાલુ રાખવાનું જણાવ્યુ છે. આ જાહેરનામને અમલ તા.૨૪/૦૨/૨૦૨૪ ના રોજ સાંજે ૦૭/૦૦ કલાક થી તા.૨૬/૦૨/૨૦૨૪ ના રોજ સવારે ૦૭/૦૦ કલાક સુધીના સમય દરમ્યાન કરશે અને તેનો ભંગ કરનાર સજાને પાત્ર ગણાશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button