ગુજરાત

સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત સફાઈ કાર્યક્રમ યોજાયો

સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત સફાઈ કાર્યક્રમ યોજાયો

ભારત સરકારના સ્વચ્છતા અભિયાન અંતર્ગત સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાની અમદાવાદ ઝોનલ ઓફીસ, અમદાવાદ રિજિયોનલ ઓફીસ અને ગાંધીનગર રિજિયોનલ ઓફીસના સંયુક્ત પ્રયાસોથી તા.27.09.24ના રોજ કચેરી પરિસરની સફાઈ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્ટાફના સભ્યોએ રેલી નું આયોજન કરી સ્વચ્છતા જાગૃતિનો સંદેશો આપ્યો હતો. આ પ્રસંગે ઝોનલ હેડ શ્રીમતી કવિતા ઠાકુરે સ્ટાફના સભ્યોને હંમેશા સ્વાસ્થ્ય માટે જાગૃત રહેવાનો સંદેશ આપ્યો હતો જેથી આપણે આપણી આસપાસની સ્વચ્છતા જ નહીં પરંતુ જાહેર સ્થળોની સ્વચ્છતામાં પણ મહત્વનું યોગદાન આપી શકીએ. આ પ્રસંગે સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના અમદાવાદ રીજીયોનલ હેડ શ્રી રણજીત સિંઘ, ગાંધીનગર રીજીયોનલ હેડ શ્રી ચંદન ઝા, ડેપ્યુટી ઝોનલ હેડ શ્રી સુનિલ કુમાર સરકાર, ચીફ ઈન્ટરનલ ઓડિટર શ્રી ઉન્નીકૃષ્ણન, આસીસ્ટન્ટ જનરલ મેનેજર શ્રી સુમન કુમાર સિંઘ, આસીસ્ટન્ટ જનરલ મેનેજર શ્રી ધર્મેન્દ્ર કુમાર સહિત મોટી સંખ્યામાં સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના અધિકારીઓ તથા સ્ટાફ મેમ્બરો ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનિય છે કે સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા એ ભારત સરકારની એક મોટી વ્યાપારી બેંક છે અને તેની શાખાઓ દેશના ખૂણે ખૂણે ફેલાયેલી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button