ધર્મ દર્શન
મન કી બાત કાર્યક્રમ નિહાળતા કાર્યકરો

મન કી બાત કાર્યક્રમ નિહાળતા કાર્યકરો
ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા દર માસે યોજાતો મન કી બાત કાર્યક્રમ લોકપ્રિયતાનું ઉચ્ચ શિખર વટાવી ચૂકેલ છે. અને કાર્યકરો ઉપરાંત નાગરિકો પણ આ મન કી બાત કાર્યક્રમ નિહાળવા માટે રાહ જોતા હોય છે. આજરોજ તારીખ 29 ડિસેમ્બર 2024 સવારના 11:00 કલાકે મન કી બાત કાર્યક્રમ શિનોર તાલુકાનાં તાજેતરમાં ભાજપાના નવા વરાયેલા પ્રમુખ સાધલીના ઉપસરપંચ સંકેત પટેલ તથા વડોદરા તાલુકાના પ્રભારી ભુપેન્દ્ર ગોહિલ સહિત ભાજપા કાર્યકરોએ સાધલી ગ્રામ પંચાયત કચેરીમાં શાંતિપૂર્ણ નિહાળીને મન કી બાત નું મનન કર્યું હતું. સૌ કાર્ય કરો આ કાર્યક્રમથી ખૂબ જ પ્રભાવિત બન્યા હતા.