ગુજરાત

કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ:

સુરતઃગુરુવાર: કેન્દ્ર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભો ગામે ગામ સુધી પહોંચે તેવા આશયથી સુરતના માંગરોળ તાલુકાના શેઠી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચ્યો હતો.જ્યાં ગ્રામજનો દ્વારા સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરી વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લેવાય હતી.

આ પ્રસંગે ગામના અગ્રણી દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સમાવિષ્ટ દરેક યોજના વિષે ગ્રામજનોને માહિતગાર કરાયા હતા. તેમજ વિવિધ શાખાઓના અધિકારીઓ દ્વારા કેન્દ્ર અને રાજય સરકારની પોષણ અભિયાન, પી.એમ કિસાન સન્માન નિધી, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, વિશ્વકર્મા યોજના, આયુષ્યમાન કાર્ડ,જલ જીવન મિશન યોજના, અટલ પેન્શન યોજના, પ્રાકૃતિક ખેતી, આઇ.સી.ડી વિભાગ, પશુપાલન માટેની યોજનાઓ વિષે વિસ્તૃત માહિતી પુરી પાડવામાં આવી હતી.

આ અવસરે મહાનુભવોના હસ્તે સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. પોષણ અભિયાન, પી.એમ.જે.વાય, સખી મંડળ, ખેતીવાડી વિભાગ, આરોગ્ય વિભાગના અને આઇ. સી.ડી.એસ વિભાગ, તેમજ THRના લાભાર્થીઓએ પોતાના અનુભવો જણાવ્યા હતા.

આ પ્રસંગે સરપંચ રમીલાબેન, તાલુકા પંચાયતના સભ્ય મનહરભાઈ વસાવા અને વૈશાલીબેન, ગામના અગ્રણી કેતનસિંહ સુરમા, માજી સરપંચ ભરતભાઈ વસાવા, ગામના તલાટી, પંચાયત સભ્ય દીપેશભાઈ, આઈ.સી.ડી.એસ ઇન્ચાર્જ સી.ડ.પી.ઓ. લીનાબેન દાસ, મુખ્ય સેવિકા નયનિકાબેન સોલંકી , આંગણવાડી કાયૅકર, આરોગ્ય સ્ટાફ અને આરોગ્ય પ્રાથમિક શાળાના શિક્ષકો તેમજ અન્ય વિભાગના અધિકારી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો, લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button