વ્યાપાર

ઉનાળુ સીઝનની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે કેરી રસિકો માટે પણ ખૂબ સારા સમાચાર છે. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની આવકમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.

ઉનાળુ સીઝનની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે કેરી રસિકો માટે પણ ખૂબ સારા સમાચાર છે. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની આવકમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. માર્કેટિંગ યાર્ડમાં એક દિવસમાં કેસર કેરીના 5500 જેટલા બોક્સની આવક નોંધાઈ છે. આ કેસર કેરીના 10 કિલોના એક બોક્સના ભાવ 800 થી 1200 રૂપિયા જેટલા નોંધાયા છે. બીજી તરફ સારી અને ગુણવત્તા યુક્ત કેરીના એક બોક્સના ભાવ 800 થી

3000 સુધી પણ નોંધવામાં આવ્યા છે. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા ઘણા સમયથી કેસર કેરીની આવક ચાર દિવસમાં કેસર કેરીની આવકમાં વધારો જોવા મળી રહ્યો છે. જેને લઈ જુનાગઢમાં કેસર કેરીનું આગમનઃ ૧૦ કિલોના ૮૦૦થી ૧૨૦૦ના ભાવ:સિઝનનોમોડોપ્રારંભ શરૂ થઈ હતી, ત્યારે છેલ્લા ત્રણ થી

જુનાગઢ માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી દિવ્યેશ ગજેરાએ જણાવ્યું હતું કે, માર્કેટિંગ યાર્ડ જુનાગઢના શાકભાજી અને ફળફળાદી યાર્ડમાં ઉનાળાની સીઝનની સાથે કેસર તેમજ વલસાડની રત્નાગીરી કેરીની આવક શરૂ થઈ છે. માર્કેટિંગ યાર્ડમાં દર વર્ષે કેસર કેરીની આવક વધુ પ્રમાણમાં હોય છે. આ વર્ષે દર વર્ષ કરતાં કેરીની સીઝન 20 થી 25 દિવસ મોડી શરૂ થઈ છે. જેને લઈ કેરીની આવકમાં પણ ઘટાડો થયો છે અને કેરીની આવક ઘટતા કેરીના ભાવ પણ ઊંચા જોવા મળી રહ્યા છે. જોકે, છેલ્લા ચાર-પાંચ દિવસથી કેસર કેરીની આવકમાં વધારો જોવા મળી રહ્યો છે.

કેસર કેરીના ભાવ પણ લોકોને પોસાઈ તેમ છે. આગામી સમયમાં હજુ કેસર કેરીની આવક વધતા કેરીના ભાવમાં ઘટાડો જોવા મળશે.

વલસાડની રત્નાગીરી કેરીની આવક પણ શરૂ થઈ ગઈઃ આગામી દિવસોમાં મોટાપાયે આવક થશે

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button