શિક્ષા

અલુવા પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવાયો

Aluva Gama News: અલુવા પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી. 45 બાળકોને બાલવાટિકા અને ધોરણ 1 માં પ્રવેશ અપાયો. કાર્યક્રમ દરમિયાન “માડી મને મુકવા ચાલ મારે નિશાળે જાવું છે” ગીતના અવાજે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ ભરી દીધો. દાતા નરેન્દ્રસિંહ રાઠોડ તરફથી પ્રવેશપાત્ર બાળકોને સ્કૂલબેગનું વિતરણ કરવામાં આવ્યું.

આ પ્રસંગે શાળા પ્રવેશોત્સવમાં આ આંગણવાડીમાં પ્રવેશપાત્ર બાળકો, બાલવાટીકામાં પ્રવેશપાત્ર બાળકો તેમજ ધોરણ 1ના બાળકોના પ્રવેશ સાથે દરેકને શૈક્ષણિક કીટનું વિતરણ દાતાશ્રીઓ દ્વારા કરવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષિકાબેન સોલંકી કરૂણાબેન દ્વારા કરવામાં આવ્યું, જેઓએ બાળકો સાથે મળીને પ્રસંગની ઉજવણી કરી.

ત્યારબાદ મહેમાનોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને સરકારશ્રી દ્વારા આપવામાં આવતા તમામ પુસ્તકોનો બુક સ્ટોલ તથા સાહિત્ય પ્રદર્શન રાખવામાં આવ્યું. અલુવા પ્રાથમિક શાળામાં તમામ સ્ટાફ, એસ.એમ.સી., તથા મધ્યાહન ભોજનના સ્ટાફે સાથે મળીને કાર્યક્રમનું સુચારૂ આયોજન કર્યું.

મહેમાનશ્રીઓ દ્વારા શાળાનું મૂલ્યાંકન, શૈક્ષણિક પ્રવૃત્તિઓ, અધ્યયન અને અધ્યાપન, તેમજ શાળાએ મેળવેલ ગ્રેડનું નિરીક્ષણ કરવામાં આવ્યું. આ પ્રસંગે “એક પેડ માં કે નામ” અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો, જેમાં પર્યાવરણ જતન માટે આહ્વાન કરવામાં આવ્યું.

મુખ્ય મહેમાન સોનલબેન બારોટ, જિલ્લા પંચાયત સદસ્ય અજીતસિંહ રાઠોડ, તથા મોટી સંખ્યામાં ગ્રામજનો અને વિધ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા. 2003માં તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતની શાળાઓમાં 100 ટકા નામાંકન કરાવવાના હેતુથી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કર્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button