ગુજરાત

વિશ્વ હ્રદય દિવસ નિમિત્તે સુરત જિલ્લાના માંડવી તાલુકા મથકે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા હૃદય રોગ નિવારણ અભિયાન હેઠળ યોગ શિબિરનું યોજાઈ

વિશ્વ હ્રદય દિવસ નિમિત્તે સુરત જિલ્લાના માંડવી તાલુકા મથકે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા હૃદય રોગ નિવારણ અભિયાન હેઠળ યોગ શિબિરનું યોજાઈ

નિયમિત યોગથી હ્રદયરોગની બિમારી અટકાવી શકાય છે

૨૯ સપ્ટેમ્બર વિશ્વ હ્રદય રોગ દિવસના દિવસે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા જિલ્લા કક્ષાએ યોગ દ્વારા હૃદય રોગ નિવારણ અભિયાન હેઠળ યોગ શિબિર કાર્યક્રમ માંડવીના શિક્ષક ભવન ખાતે યોજાયો હતો.

આ અવસરે મુખ્ય અતિથિ તરીકે બારડોલી લોકસભાના સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવાએ જીવનમાં યોગનું મહત્વ જણાવીને કહ્યું કે, આધુનિક યુગમાં હૃદય રોગની બીમારી વધી રહી છે ત્યારે દરરોજ યોગાસનો કરીને જીવન સ્વસ્થ રાખવાનો અનુરોધ કર્યો હતો.

આ અવસરે ડોક્ટર શ્રેયસભાઈ અધ્વર્યુંએ હૃદય રોગ વિશે માહિતી આપીને દરરોજ યોગથી રોગમુક્ત રહી શકાય તે અંગે સૌને માર્ગદર્શન આપ્યું હતું. ત્યારબાદ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના જિલ્લાના પ્રતિનિધિઓ દ્વારા હૃદય રોગ માટે યોગ અને પ્રાણાયામ કરાવવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન માંડવી તાલુકાના યોગકોચ અંજલીબેન વાંકડા દ્વારા કરવામાં આવ્યું હતું.

આ અવસરે માંડવી નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ કિરીટભાઈ પટેલ, રંજનાબેન મરાઠે સુરત જિલ્લાના કોર્ડીનેટર સુરેશભાઈ ચૌહાણ માંડવીના યોગ કોચ કમલેશભાઈ ચૌધરી સોશિયલ મીડિયા કોર્ડીનેટર હિરલબેન દવે યોગ કોચ હીનાબેન ચાવડા અને ડોક્ટર ભરતભાઈ ભડીયાદરા માંડવીના નગરજનો વી. કેર. નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ ગવર્મેન્ટ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ, યોગ સાધકો હાજર રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button