ક્રાઇમ

કમલેશ તિવારીની જેમ ઉપદેશ રાણાને મારી નાખવાની ૧ કરોડની સોપારી અપાઈ હતી :મૌલવીની ધરપકડ

હિન્દુ સનાતન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ અને અન્ય હિન્દુ નેતાઓને પાકિસ્તાન, નેપાળ અને અન્ય દેશના લોકો સાથે મળી જાનથી મારી નાખવાની ધમકી આપનાર મૌલવીની સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો છે. ઉત્તરપ્રદેશમાં હિન્દુ નેતા કમલેશ તિવારીની હત્યા બાદ હિન્દુ નેતાઓને ધમકીઓ મળી રહી હતી. વિશ્વ સનાતન સંઘના હિન્દુ નેતા ઉપદેશ રાણાને ફોન પર જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. ઉપદેશ રાણાને મારવાની ૧ કરોડની સોપારી આપ્યાના વ્હોટ્‌સએપ ચેટ પણ સામે આવ્યા છે. આ કેસમાં સુરત ક્રાઈમ બ્રાન્ચે ધમકી આપનાર મૌલવીની ધરપકડ કરી છે અને કડક પૂછપરછ હાથ ધરી છે.

સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે ચોકબજાર ભરીમાતા ફૂલવાડી પાસેથી મહમદ સોહેલ ઉર્ફે મૌલવી અબુબકર ટીમોલને ઝડપી પાડ્યો હતો. સુરત જિલ્લાના કઠોરગામમાં આવેલા મદ્રેસામાં હાફીઝ અને આલીમ બન્યો હતો. કઠોર-અંબોલી ગામમાં મુસ્લિમ બાળકોને ઇસ્લામ ધર્મ અંગેનું ટ્યુશન આપતો હતો. તેમજ લસકાણા ડાયમંડ નગર ખાતે ધાગા ફેક્ટરીમાં મેનેજર તરીકે નોકરી કરતો હતો. જે રીતે ૨૦૧૯માં કમલેશ તિવારીનું મર્ડર યૂપીમાં થયું હતું, એ જ રીતે ઉપદેશ રાણાનું મર્ડર કરવાની ધમકીઓ અજાણ્યા અનેક નંબર પરથી આપવામાં આવી હતી. આ કેસમાં સુરત ક્રાઈમ બ્રાન્ચે મૌલવીના મોબાઈલની તપાસ કરતા વ્હોટ્‌સએપ ગ્રુપમાંથી અમુક લોકોના ફોટોસ અને નામ પણ મળ્યા છે,

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button