Uncategorizedધર્મ દર્શન

સ્વચ્છતા હી સેવા પખવાડીયા અંતર્ગત વિશ્વ પ્રવાસન દિવસે કામરેજના ગલ્તેશ્વર મંદિર તથા ગાયપગલા મંદિરની સફાઈ કરવામાં આવીઃ

સુરતઃ બુધવારઃ- ભારત સરકારના સ્વચછ્ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા હી સેવા પખવાડીયાની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત આજરોજ વિશ્વ પર્યટન દિવસે જિલ્લાના પ્રવાસન સ્થળોની સાફ-સફાઈ કરવામાં આવી હતી.

સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ધોરણપારડી ખાતે ગાયપગલા મંદિર પરિસરની અંદર, બહાર, મુખ્ય રોડ તથા સર્વિસ રોડની ગ્રામ પંચાયત ધોરણપારડી દ્વારા સાફ-સફાઇ કરીને સ્વચ્છતાનો સંદેશો આપ્યો હતો. આ ઉપરાંત કામરેજના ટીમ્બા ગામે આવેલ ગલ્તેશ્વર મહાદેવ મંદિરના પટાંગણ તથા મુખ્ય રોડ ખાતે ગ્રામ પંચાયત ટીમ્બા દ્વારા સાફ-સફાઇ કરવામાં આવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button