વ્યાપાર

લોજિસ્ટિક્સ સેવાઓ વિસ્તૃત અને મજબૂત બનાવવા અદાણી જૂથનું મોટું રોકાણ

લોજિસ્ટિક્સ સેવાઓ વિસ્તૃત અને મજબૂત બનાવવા અદાણી જૂથનું મોટું રોકાણ

વિરોચનનગરનો અદ્યતન મલ્ટી મોડેલ લોજીસ્ટિક પાર્ક રેલ, રોડ અને એર કનેક્ટીવીટી પ્રદાન કરશે

 

ભારતમાં લોજિસ્ટિક્સ સેવાઓને વધુ વિસ્તૃત અને મજબૂત કરવા અદાણી લોજીસ્ટિક્સ લિમીટેડ (ALL) દ્વારા વિરોચનનગર ખાતે ગતિશક્તિ મલ્ટિ-મોડલ કાર્ગો ટર્મિનલ્સ નો શુભારંભ કરવામાં આવ્યો છે. આ મલ્ટી મોડેલ લોજીસ્ટિક પાર્ક (MMLP) ઔદ્યોગિક વેરહાઉસિંગ અને લોજિસ્ટિક્સ સેવાઓ માટે એન્ડ-ટુ-એન્ડ સોલ્યુશન્સ પ્રદાન કરશે. આ પ્રોજેક્ટ કાર્યાન્વિત થતા અંદાજે 25,000 થી વધુ યુવાઓ માટે રોજગારીની તકો ઉભી થશે.

 

લોજિસ્ટિક્સમાં આગામી 10-15 વર્ષમાં થનારી વૃદ્ધિને ધ્યાનમાં રાખી અમદાવાદના વિરોચનનગર ખાતે શરૂ કરાયેલો MMLP પ્રોજેક્ટ તમામ સુવિધાઓથી સુસજ્જ હશે. MMLP વિરોચનનગર 1,400+ એકર વિસ્તારમાં ફેલાયેલું હશે. જેમાં 90 લાખ ચોરસ ફૂટથી વધુના વેરહાઉસિંગ ઝોન હશે અને તેમાં 50,000 કરોડથી વધુનું રોકાણ થશે. ખર્ચ-અસરકારક લોજિસ્ટિક્સ સોલ્યુશન્સ પ્રદાન કરવા ઉપરાંત MMLP એ વધારાના કાર્ગો પેદા કરી ઔદ્યોગિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપશે.

 

હેરિટેજ સિટી અમદાવાદ 12 મુખ્ય ઔદ્યોગિક વસાહતો, 12 સ્પેશ્યિલ ઈકોનોમિક ઝોન, 10 ઔદ્યોગિક ઉદ્યાનો સાથે દેશમાં સૌથી ઝડપથી વિકસતા મહાનગરોમાંનું એક છે. વળી ઓટોમોબાઈલ ક્લસ્ટર સાણંદ, ધોલેરા સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રિજન (SIR), ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક-સિટી (GIFT), દિલ્હી મુંબઈ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર (DMIC), બાવળા ઈન્ડસ્ટ્રીયલ એરિયા જેવા પ્રકલ્પોના કારણે લોજિસ્ટિક્સ સેવાઓની માંગ વધવાવાની અપેક્ષા છે. તેવામાં MMLP વિરોચનનગર લોજિસ્ટિક્સ સેવાઓની માંગને પહોંચી વળવા માટે રેલ, રોડ અને એર કનેક્ટિવિટી પ્રદાન કરશે.

 

એક્ઝિમ કાર્ગોને MMLP બંદરોની રેલ સેવાઓ સાથે જોડી ખર્ચ-અસરકારક લોજિસ્ટિક્સ સોલ્યુશન્સ મળે છે, જે ટકાઉ અને પર્યાવરણને અનુકૂળ હોય છે. મલ્ટિ-મોડલ લોજિસ્ટિક્સ પાર્ક્સ શરૂ થવાથી પરિવહનના તમામ મોડ્સમાં ઉત્તરોત્તર પરિવર્તન થશે. સીમલેસ કનેક્ટિવિટી અને કાર્યક્ષમ વેપાર માર્ગોની વધતી જતી માંગના કારણે MMLP નું મહત્વ વધી રહ્યું છે.

 

અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડ (APSEZL) ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની અદાણી લોજિસ્ટિક્સ લિમિટેડ (ALL) દેશમાં સૌથી વધુ વૈવિધ્યસભર એન્ડ-ટુ-એન્ડ લોજિસ્ટિક્સ સેવા પ્રદાતા છે. વિરોચનનગરના MMLP પ્રોજેક્ટ્સ રાષ્ટ્ર નિર્માણ માટે માળખાકીય વિકાસમાં સીમાચિહ્નરૂપ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button